________________
મળીને બેસવાથી તે ટકી શકતો નથી. કોઈ ભાઈ પોતાના ભાઈને દગો કરી શકતો નથી કે તેને નુકસાન પહોંચાડી શકતો નથી. ભાઈ પોતાના ભાઈને સહયોગ આપીને કશું અહેસાન કરતો નથી, અહંકાર પણ કરતો નથી. એવી જ રીતે ભાઈ પાસેથી કશુંક લેવામાં સંકોચ પણ થતો નથી. ભારતીય સંસ્કૃતિનો આદર્શ એવ માનુષી જાતિ
સમય બદલાય છે, પરિસ્થિતિઓ બદલાય છે અને માનવીના વિચાર પણ બદલાય છે. આ પરિવર્તનમાં અનેક નિમિત્ત બને છે. તેમાં એક મોટું નિમિત્ત આર્થિક છે. માનવીના જીવનયાપનમાં અર્થ અવિભાજ્ય તત્ત્વ છે. તેના વગર કોઈ કામ ચાલતું નથી. પરંતુ જે યુગમાં અર્થ જ સર્વસ્વ બની જાય, ત્યાં બીજી બાબતો ગૌણ થઈ જાય છે. અર્થને જ સર્વસ્વ માનનાર વ્યક્તિ ભાઈચારાનું મહત્ત્વ સમજે તે શક્ય નથી. તે અર્થ માટે માતા-પિતા, પત્ની અને બાળકોની ઉપેક્ષા કરી દે છે. તો પછી ભાઈની તો વાત જ શી કરવી ? એક ભાઈ દ્વારા બીજા ભાઈની ગરદન પર છૂરી ચલાવવાની માનસિકતા આજે સામાન્ય બની રહી છે. તૂટતા સંબંધો અને વિખેરાતાં પરિવારોની સૌથી મોટી ત્રાસદાયકતા એ છે કે માનવી બીજાઓ સાથે જેટલો હળીમળીને રહે છે એટલો જ ભાઈ સાથે પરાયો બનતો જાય છે. આટલું થવા છતાં પણ ભાઈચારો લુપ્ત થઈ શકતો નથી. કારણ કે ભાઈચારાનો ભાઈ શબ્દ માત્ર સહોદરનો જ પયિ નથી, તેનો પ્રયોગ વ્યાપક સંદભોંમાં થયો છે.
એક માતાના બે પુત્રો પરસ્પર ભાઈ હોય છે. કાકા, મામા, માસી, ફોઈ વગેરેના પુત્રો સાથે પણ ભાઈનો સંબંધ હોય છે. સમાન આસ્થા, સમાન વિશ્વાસ, સમાન રીતરિવાજ, સમાન વ્યવસાય, સમાન જાતિ, સમાન મજહબ વગેરે પણ ભાઈચારાની ભાવનાને દઢ કરે છે. તેથી પણ મોટી વાત છે – “એકૈવ માનુષી જાતિઃ' મનુષ્ય જાતિ એક છે. આ એકત્વના નામ ઉપર તમામ મનુષ્ય પરસ્પર ભાઈ છે. ‘હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સબ આપસ મેં ભાઈ ભાઈ-' આ સંસ્કાર ભારતીય લોકોને વારસામાં મળેલા છે. ભાઈચારાના વિકાસની જરૂર છે
અણુવ્રત દર્શનની આધારશીલાનું એક મહત્ત્વપૂર્ણ બિંદુ છે ભાઈચારો. આજે ભાઈચારાની ભાવનાને ઊધઈ વળગી છે. આ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org