________________
એટલું નિશ્ચિંત છે કે એકમાંથી બે થતાં જ શક્તિ વધી જાય છે. એકલી વ્યક્તિ ધ્યાન કરી શકે છે પરંતુ જ્ઞાનસાધનામાં બે હોય તો વિશેષ સુવિધા રહે છે. સમૂહગાન પણ એક કરતાં વધારે વ્યક્તિ મળીને કરે છે, ત્યારે તેને પ્રભાવી બનાવી દે છે. એ જ રીતે ત્રણ શક્તિઓનો સંગાથ થવાથી અનેક અનુકૂળ પિરણામો લાવી શકાય છે.
દૂધ, ચોખા અને ખાંડ આ ત્રણ પદાર્થ છે. દૂધ પી શકાય છે. ચોખા ખાઈ શકાય છે. ખાંડ પણ ફાકી શકાય છે. ત્રણે પદાર્થોનો સ્વતંત્ર ઉપયોગ છે. પરંતુ તેમના અલગ અલગ રહેવાથી ખીર બની શકતી નથી. ખીર બનાવવા માટે ત્રણે પદાર્થોને ભેગા કરવા પડશે. ખીરનો જે સ્વાદ છે તે દૂધ, ચોખા કે ખાંડમાં નથી. તેથી તો ખીર-ખાંડનું ભોજન પ્રસિદ્ધ છે.
ગીતા અને જૈનદર્શનની ત્રિવેણી
ગીતામાં જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગની ચર્ચા છે. પોતપોતાના સ્થાન ઉપર ત્રણેય યોગોનું મહત્ત્વ છે. કોઈ યોગનો માર્ગ અન્ય કોઈથી ઊતરતો નથી. પરંતુ ત્રણેય યોગોનો યોગ તેમની શક્તિને ત્રિગુણિત જ નહીં, બહુગુણિત કરી દે છે. કોઈ વ્યક્તિ માત્ર જ્ઞાનયોગને જ સર્વસ્વ સમજીને બેસી જાય તો શું તેને સફળતા મળી શકે ખરી ? એ જ રીતે માત્ર ભક્તિના બળે પણ સિદ્ધિ મળી શકતી નથી. જ્ઞાન અને ભક્તિશૂન્ય કર્મ કરનાર વ્યક્તિ પણ જીવનના કોઈ ને કોઈ મુકામે નિરાશ થતી જોવા મળે છે. આ દૃષ્ટિએ ત્રણે યોગોની સંયુક્ત આરાધનાનો સિદ્ધાન્ત કાર્યકારી બને છે.
જૈનદર્શનમાં મોક્ષમાર્ગની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે - ‘સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ, સમ્યગ્દર્શન મોક્ષનું સાધક તત્ત્વ છે. પરંતુ સમ્યક્ત્તાનના અભાવે દર્શન અધૂરું છે. સમ્યક્ત્તાનનો પોતાનો ઉપયોગ છે, પરંતુ સમ્યક્ આચરણ વગર તે અપંગ છે. અપંગ વ્યક્તિને સઘળું દેખાય છે છતાં તે ચાલી નથી શકતી. આ સમગ્ર પ્રતિપાદનનો ફલિતાર્થ એ છે કે દર્શન, જ્ઞાન અને ચારિત્ર ત્રણેય મળીને જ મોક્ષનો માર્ગ બને છે.
આધુનિક ત્રિવેણી
અણુવ્રત, પ્રેક્ષાધ્યાન અને જીવનવિજ્ઞાન આ ત્રણેય કાર્યક્રમ
નવું દર્શન ઃ નવો સમાજ ] ૧૯૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org