SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ' જ * દાદ દિલીપ = એ કવીસમી સદીનો માનવી કેવો હશે? ભારતની સંસ્કૃતિ બહુરંગી સંસ્કૃતિ છે. અહીં અનેક ધર્મોમાં શ્રદ્ધા રાખનારા લોકો વસે છે. પ્રત્યેક ધર્મની પોતાની સ્વતંત્ર માન્યતાઓ હોય છે. તીર્થયાત્રા અને તીર્થસ્નાનની પરંપરા પણ બદ્ધમૂલ છે. ખાસ પ્રસંગોએ લાખો લોકો નદીસ્નાન કરે છે. કેટલાક લોકો ગંગાસ્નાનનું મહત્ત્વ આપે છે, કેટલીક વ્યક્તિઓની દષ્ટિએ યમુનાનું મહત્ત્વ છે. સરસ્વતીને માનનારા લોકો પણ આ દેશમાં વસે છે. એ જ રીતે જ્યાં આ ત્રણે નદીઓનો સંગમ થાય છે, તે ત્રિવેણી સંગમ' એક વિશિષ્ટ તીર્થ તરીકે પ્રસિદ્ધ છે. ત્રિવેણીનું જે મહત્ત્વ પ્રશિષ્ટ છે તે એક એક નદીનું નથી. આ લૌકિક દષ્ટિ છે. ત્રિવેણીને એક પ્રતીકરૂપે સ્વીકારી લેવામાં આવે તો અણુવ્રત, પ્રેક્ષાધ્યાન અને જીવનવિજ્ઞાનના સંગમને ત્રિવેણી સંગમ કહી શકાય છે. અણુવ્રતનો પોતાનો સ્વતંત્ર કાર્યક્રમ છે. તેના પ્રત્યે પ્રત્યેક વર્ગનું આકર્ષણ છે. પ્રેક્ષાધ્યાનની પોતાની પ્રક્રિયા છે. આ પણ સૌ માટે ઉપયોગી છે. પરંતુ પ્રબુદ્ધ વર્ગના લોકો તેનું વિશેષ મૂલ્યાંકન કરી રહ્યા છે. જીવનવિજ્ઞાનના પોતાના સિદ્ધાન્તો અને પ્રયોગો છે. તેનો ઉપયોગ શિક્ષણના ક્ષેત્રમાં થઈ રહ્યો છે. આ ત્રણે કાર્યક્રમ પોતપોતાનાં ક્ષેત્રોમાં સ્વતંત્રરૂપે શક્તિશાળી છે. ત્રણે શક્તિઓનું એકીકરણ થવાથી તેમની ક્ષમતા કેટલી અધિક થઈ જશે તે અનુભવનો વિષય છે. સંયોગથી શક્તિ એક લોકોક્તિ છે- ‘એકલા-એકલ એકલો, બે મિલ બાવન વીર. તેનો પ્રયોગ કેવા સંદર્ભમાં થયો એ તો સંશોધનનો વિષય છે, પરંતુ એકવીસમી સદીનો માનવી ક્વો હશે? • ૧૯૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005312
Book TitleNavu Darshan Navo Samaj
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy