________________
તેમનું નિમણિ સાચી રીતે ન થઈ શકે તો રાષ્ટ્રના નિમણિનું સ્વપ્ન સાકાર નહીં થાય. કિશોર પેઢીનું નિમણિ કરવા માટે તેના મસ્તિષ્કને પ્રશિક્ષિત કરવું જરૂરી છે. પ્રશિક્ષણ વગર મસ્તિષ્કીય પરિવર્તનની સંભાવના અત્યંત ઘટી જાય છે. જે દેશની કિશોરપેઢી સંસ્કાર-નિમણિની યાત્રામાં એક એક ડગલું પણ આગળ વધે છે તેનું ભવિષ્ય શૂન્યમાં રહેતું નથી. તે વારસામાં મળેલા સંસ્કારો અને પોતાના પુરુષાર્થના બળે વિકાસની નિશ્ચિત દિશામાં આગેકૂચ કરી શકે છે.
ભવિષ્યની ચિંતા વર્તમાનની ઉપેક્ષા કરવા માટે ન કરવી જોઈએ. આજની ખોટ જેટલી પ્રાકૃતિક અને જીવનતત્ત્વોથી ભરપૂર હશે એટલી જ આવતી કાલ સુંદર બની શકશે. તેથી અતીતની સ્મૃતિ અને ભવિષ્યની ચિંતાથી અલગ પડીને દેશની ભાવિ પેઢીને ન્યાય આપવો પડશે. ભાવિ પેઢીના કુતગામી અને સંતુલિત વિકાસ માટે સુચિંતિત કાર્યશૈલી ઉપર ધ્યાન આપવાની જરૂર છે.
કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતી વખતે બે પ્રકારની નીતિઓ નજર સામે રખવાની હોય છે- દૂરગામી અને શીઘ્રગામી. શીધ્રગામી નીતિ સારી હોઈ શકે છે જો ભવિષ્ય ઉપર તેનો દુગ્ધભાવ ન પડવાનો હોય તો. દૂરગામી નીતિના આધારે સફળતા મેળવવામાં સમય લાગી શકે છે, પરંતુ તેની ભૂમિકા નક્કર બને છે. દેશની ભાવિ પેઢીને યુગિન સમસ્યાઓના પડછાયાઓથી દૂર રાખીને જીવનના યથાર્થનો અનુભવ કરાવવો હોય તો એક સફળનીતિનું નિર્ધારણ કરવું પડશે. શેષનની ચિંતા
રાષ્ટ્રીય વિકાસમાં વિદ્યાર્થીઓની ભૂમિકાઓ ઉપર વિચાર કરતી વખતે એક ચિંતન જાગ્યું કે બે અથવા પાંચ વર્ષમાં આપણે વિદ્યાર્થીઓને શું આપવું છે ? તેમને આપણે શું બનાવવા ઇચ્છીએ છીએ ? તેમને જે કાંઈ આપવું છે, તે શિક્ષણના માધ્યમ દ્વારા જ આપી શકાય છે. મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી ટી.એન. શેષન અમારી પાસે આવ્યા અને બોલ્યા, “આચાર્યશ્રી, દેશના કરોડો વિદ્યાર્થીઓની હાલત દયનીય બની રહી છે. તેમને જોઈને આંખોમાં આંસુ આવે છે. વિદ્યાર્થીઓના સંદર્ભમાં આક્રમક મુદ્રામાં ઊભેલો સવાલ આપણી પુરુષાર્થહીનતા ઉપર જાણે કે અટ્ટહાસ્ય કરી રહ્યો
નવું દર્શન : નવો સમાજ ! ૧૯૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org