SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ માથાલાલા ઊજળાધાભવિષ્યનું વા શું R : પ્રત્યેક માતાનું સ્વપ્ન હોય છે કે તેના પુત્રનું જીવન ઉપલબ્ધિઓથી સભર બની જાય. ઉપલબ્ધિઓની ચર્ચા જેટલી લોભામણી છે, તેટલી જ તે પ્રબળ સાધના પણ માગે છે. સાધના વગર આજ સુધી કોઈપણ વ્યક્તિને ઉપલબ્ધિઓ મળી નથી. વિદ્યાર્થીઓનું જીવન એક સાધક જેવું જીવન હોય છે. તેનું ભવિષ્ય તેના પરિવાર કે સમાજનું નહીં, રાષ્ટ્રનું ભવિષ્ય હોય છે. જે રાષ્ટ્રના વિદ્યાર્થીઓ જ્ઞાનસંપન્ન અને ચરિત્રસંપન્ન હોય છે, તે રાષ્ટ્રની છબી અલગ જ બને છે. જ્ઞાન અને ચરિત્રના કિનારા જેટલા મજબૂત હોય છે, તેટલી વિદ્યાર્થીજીવનની સરિતા વ્યવસ્થિતરૂપે વહે છે. તેથી જ્ઞાન અને ચરિત્ર બંને પલ્લાં સંતુલિત રાખવાની અપેક્ષા છે. હિંસા, આતંક, ક્રૂરતા, અનુશાસન હીનતા, ચરિત્રહીનતા વગેરે આ યુગની પ્રબળ સમસ્યાઓ છે. આ સમસ્યાઓથી માત્ર કોઈ વર્ગવિશેષ જ આક્રાંત નથી થતો. યુગીન પરિસ્થિતિઓનો પ્રભાવ પ્રત્યેકની ઉપર જુદા જુદા પ્રમાણમાં પડે છે. વર્તમાન યુગની સમસ્યાઓ સાથે નિપટવાનો એક ઉપાય છે શસ્ત્રબળ. દેશમાં ઠેર ઠેર શસ્ત્રબળનો પ્રયોગ થઈ રહ્યો છે.છતાં સમસ્યાઓ ઘટવાને બદલે વધતી જાય છે. બીજો ઉપાય છે કાનૂનબળ. કાનૂન પાસે અધિકાર હોય છે. ત્યાં અસ્ત્ર અને અર્થ બંનેનો ઉપયોગ થાય છે. જ્યાં કાનૂન પણ અકિંચિકર બની જાય છે ત્યાં વ્યક્તિએ કોઈ નવા પ્રસ્થાનની વાત વિચારવી પડે છે. આવતી કાલની શ્રેષ્ઠતાનો આધાર આજ કોઈ રાષ્ટ્રનો ચહેરો જોવો હોય તો તેની કિશોર પેઢીનો ચહેરો જોવો જોઈએ. આજના કિશોર આવતી કાલના કર્ણધાર બનવાના છે. ઊજળા ભવિષ્યનું આશ્વાસન ૯ ૧૮૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005312
Book TitleNavu Darshan Navo Samaj
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy