SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ સદાલપુત્ર, મહાશતક, નંદિનીપિતા અને લેતિયાપિતા- આ દશ શ્રાવકોનાં નામ ઉપાસકદશા સૂત્રમાં મળે છે. તેઓ મહાવીરના મુખ્ય શ્રાવકો હતા. તેમના પોતપોતાના વ્યવસાય હતા. કરોડોની સંપત્તિના માલિક હતા. સેંકડો વ્યક્તિઓની સાથે રહેતા હતા. હજારો પશુઓ પાળતા હતા. વિપુલ વૈભવ વચ્ચે રહેવા છતાં તેમની કામનાઓ કેટલી બધી સીમિત હતી ! પહેરવા માટે મર્યાદિત વસ્ત્રો અને ખાવા માટે મર્યાદિત ભોજન આખા દિવસમાં એક ફળથી અધિક ખાતા નહોતા. ફળોમાં પણ એક આંબળાથી વિશેષ નહીં. એક અંગરખું. એક જોડી ચંપલ. બીજું તો ઠીક, દાતણ માટેની પણ મર્યાદા ! વ્યક્તિગત ભોગ માટે ઓછામાં ઓછી સામગ્રી. બાકીનું સઘળું સમાજ માટે. આ ઉત્કૃષ્ટ કોટિના શ્રાવકો કહેવાયા. આવા લોકોના જીવનનાં વ્યાખ્યાન કરવામાં આવ્યાં છે. લાખો શ્રાવકોમાં દશ શ્રાવકોનો ઉલ્લેખ તેમનાં વૈશિસ્યનું પ્રતીક છે. તે વૈશિશ્ય કામનાઓને વધારવાથી નહીં, સીમિત કરવાથી આવ્યાં હતાં. સ્વસ્થ સમાજની સંરચનાનો આ મહત્ત્વપૂર્ણ આધાર છે. - સ્વસ્થ સમાજ સંરચનાના સંદર્ભમાં મહાવીરના મુખ્ય શ્રાવકોની ચચ એક આદર્શ તરફ સમાજનું ધ્યાન ખેંચે છે. તે આદર્શ સુધી સેંકડો-હજારો લોકો પહોંચી જાય તે અતિકલ્પના છે. મહાવીરયુગમાં પણ તે ઉલ્લેખનીય શૃંખલામાં માત્ર દશ કડીઓ જોડી શકાઈ. આ દષ્ટિએ એમ સ્વીકારવામાં કોઈ સંકોચ નથી કે તે કક્ષાની વ્યક્તિ શ્રાવક સમાજમાં મોખરે હોઈ શકે છે, સમાજ સંરચનાના સૂત્રધાર તેઓ હોઈ શકે છે, પરંતુ સમગ્ર સમાજને તે માળખામાં ઢાળી શકાતો નથી. સમાજ માટે એક અલગ પ્રકારના ઢાંચાની જરૂર છે. તે ઢાંચો છે અણુવ્રત આચારસંહિતા. મારું આ વર્ષોજૂનું સ્વપ્ન છે. જે દિવસે સમાજની પ્રત્યેક વ્યક્તિ અથવા પ્રત્યેક પરિવાર અણુવતી બની જશે, તે દિવસે એક સ્વસ્થ સમાજ કે અહિંસક સમાજની કલ્પના સાકાર થઈ જશે. “અણવ્રત પરિવાર યોજના'નું પ્રારૂપ પણ આ પૃષ્ઠભૂમિ ઉપર જ તૈયાર કરવામાં આવ્યું છે. એક થી દશ, દશથી સો, સોથી હજાર, હજારથી દશ હજાર, દશ હજારથી એક લાખ- આ રીતે વધતા જતા આંકડાની ગુણાત્મકતાના આધારે સ્વસ્થ સમાજ સંરચનાનો સંકલ્પ ફળદાયી બનશે. એક વ્યક્તિનો આ સંકલ્પ જે દિવસે પ્રત્યેક વ્યક્તિનો સંકલ્પ બની જશે તે દિવસે તેના પરિપાકથી લાખો લાખો લોકો લાભાન્વિત બની શકશે. નવું દર્શન : નવો સમાજ ૧૮૮ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005312
Book TitleNavu Darshan Navo Samaj
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy