________________
સીમાઓના અતિક્રમણનું પરિણામ કેવું આવશે ? મહાવીરવાણીમાંતેની સ્થિતિનું ચિત્રણ મળે છે- “કામકામી ખલુ અયં પુરિસે, સે સોયતિ જૂરતિ તિપ્રતિ પિતિ પરિતધ્વતિ'- આ પુરુષ કામકામી છે- મનોજ્ઞ શબ્દ અને રૂપની કામના કરનાર છે. કામકામી પુરુષ શોક કરે છે, ખિન્ન થાય છે, કુપિત થાય છે, આંસુ સારે છે, પીડા અને અનુતાપનો પણ અનુભવ કરે છે.
આવી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં જીવવાના કારણે વ્યક્તિની મનોવૃત્તિમાં આગ્રહ આવી જાય છે. આગ્રહ જ્યારે દુરાગ્રહનું રૂપ ધારણ કરે છે ત્યારે કેર વર્તાવે છે. દુર્યોધનના દુરાગ્રહની ભાષામાં કેટલો બધો અહંકાર હતો ! “સૂચ્યગ્રં ચૈવ દાસ્યામિ, બિના યુદ્ધન કેશવ!! - શ્રીકૃષ્ણ, હું યુદ્ધ વગર સોયની અણી જેટલો ભૂભાગ પણ પાંડવોને આપીશ નહીં. કૌરવો અને પાંડવોની વચ્ચે મનોભેદની સ્થિતિ ભારે જટિલ બની ગઈ. તે સમયે સમાધાનની જવાબદારી શ્રી કણે પોતાના માથે લીધી. તેમણે બંને પક્ષને સામસામે બોલાવીને કહ્યું, “દુર્યોધન ! તું તારા સામ્રાજ્યનો વિસ્તાર કર. પાંડવોને તેની સાથે કોઈ લેવા દેવા નથી. તેમને પોતાના પગ મૂકવા માટે જમીન જોઈએ. તું માત્ર પાંચ ગામ પાંચ ભાઈઓને આપી દે. તેથી સમગ્ર સમસ્યા ઉકલી જશે.”
દુર્યોધનને શ્રીકૃષ્ણનો પ્રસ્તાવ ગમ્યો નહીં. તેનાં ભવાં તંગ થઈ ગયાં. તે વ્યંગ્યમાં બોલ્યો, “અમારી ભાઈઓની લડાઈમાં તમને લવાદ કોણે બનાવ્યા ? મને તમારી પંચાયતી સ્વીકાર્ય નથી. હું સ્પષ્ટ જાહેર કરું છું કે લડાઈ વગર હું કશું જ આપીશ નહીં. મારા તરફથી પાંડવોને આમંત્રણ છે. તેઓ આવે, લડે, જમીન જીતે અને પોતાના ભુજબળથી ગામ વસાવે.” જો આવી વ્યક્તિઓ સમાજમાં થઈ જાય તો જ્યારે ઇચ્છે ત્યારે મહાભારત રચી દે. અને કોઈને પણ શાંતિથી જીવવા જ ન દે. પરંતુ શું કહી શકાય. આવી વ્યક્તિઓનું પણ નામ ચાલતું જ રહે છે. જ્યાં સુધી મહાભારત રહેશે, ત્યાં સુધી શ્રીકૃષ્ણ અને યુધિષ્ઠિરની સાથે દુર્યોધનનું નામ પણ લેવાતું રહેશે. જ્યારે મળશે સંકલ્પનો પરિપાક
આ સંસાર છે. એમાં ખરાબ લોકો હોય છે તો સારા લોકોનો પણ અભાવ નથી હોતો. ભગવાન મહાવીરના શ્રાવકોની જીવનગાથા વાંચીએ તો તેમના પ્રત્યે શ્રદ્ધા અને આદરના ભાવ જાગે છે. શ્રાવક આનંદ, કામદેવ, ચૂલણી પિતા, સુરાદેવ, ચુલ્લશતક, કુંડકૌલિક,
સમાજ સંરચનાનો આધાર ૭ ૧૮૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org