________________
અભિપ્રેરક તત્ત્વ કામના હોય છે. કામના ન હોય તો કોઈપણ કાર્યની પ્રવૃત્તિ શી રીતે થાત ? આ એક સામાન્ય વાત છે કે સંસારી પ્રાણી કામનાઓની જાળથી મુક્ત નથી હોતો. કામનાનાં બે સ્વરૂપ છેપ્રશસ્ત અને અપ્રશસ્ત. પ્રશસ્ત કામના વિકાસની સૂચક છે. જે વ્યક્તિની મહત્ત્વકાંક્ષા જેટલી મોટી હશે તે એટલાં જ મોટાં કામ કરી શકશે. જેનામાં કંઈક કરવાની કે કંઈક બનાવની ઇચ્છા નથી હોતી તે પોતાની કર્મશક્તિને કુંઠિત કરી નાખશે.
કેટલાક લોકો ગીતાના નિષ્કામ કર્મની વાતો કરે છે. જૈનદર્શનમાં પણ આકાંક્ષારહિત કરણીને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ભગવાન મહાવીરે કહ્યું છે- જે સાધક તપસ્યા કે સાધના કરે છે તેની સામે સ્પષ્ટ લક્ષ્ય હોવું જોઈએ. તે આલોક અને પરલોક સંબંધી ભૌતિક લાલસાઓના નિમિત્તે સાધના ન કરે. પૂજા-પ્રતિષ્ઠા માટે સાધના ન કરે. સાધનાની સાથેસાથે કામનાનો યોગ થાય તો તેની ઉત્કૃષ્ટતા સામે પ્રશ્નાર્થચિહ્ન લાગી જાય છે. પરંતુ આવી નિષ્કામ સાધના પ્રત્યેક વ્યક્તિ કરી શકતી નથી. નિષ્કામતાના શિખર ઉપર વીતરાગ જ આરોહણ કરી શકે છે. વીતરાગ તે હોય છે કે જેને માટે કશું જ પણ મેળવવું બાકી નથી રહેતું. બીજું તો ઠીક, મોક્ષની કામના પણ નિઃશેષ થઈ જાય છે. તેથી વીતરાગને પૂર્ણ કામ કહેવામાં આવે છે.
કામનાઓનું કળણ સામાન્ય વ્યક્તિને ફસાવી દે છે અને તે અકામ બની શકતી નથી. આવી સ્થિતિમાં તેને માટે વચ્ચેનો માર્ગ શ્રેયસ્કર છે. અતિકામ અને અકામ આ બંને અતિ છે. અતિકામ બરબાદીનો માર્ગ છે. અકામ વિકાસમાં અવરોધની સ્થિતિ છે. આ બંનેની વચ્ચે રહેનાર વ્યક્તિ અલ્પકામ હશે. તેની કામનાઓ સીમિત અને નિયંત્રિત રહેશે. આવી વ્યક્તિ માટે અલ્પચ્છ શબ્દનો પ્રયોગ થાય છે. આ ભૂમિકા ઉપર માનવજાતિની ત્રણ શ્રેણીઓ હોય છે.
અનિચ્છ ઃ જેને કોઈ ઈચ્છા નથી હોતી. મહેચ્છ ? જેની ઇચ્છાઓનો ક્યારેય અંત નથી આવતો. અલ્પચ્છ ? જેની ઇચ્છાઓ સીમિત હોય છે.
જે વ્યક્તિના મનમાં કોઈપણ પ્રકારની ઈચ્છા બાકી નથી રહેતી તે વ્યક્તિ મહાન હોય છે. આવી વ્યક્તિઓ માટે જ આપણા લોકકવિઓએ શહેનશાહ શબ્દનો પ્રયોગ કર્યો છે.
સમાજ સંરચનાનો આધાર ૭ ૧૮૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org