________________
ઓછી તો જરૂર કરી શકાય. એવી આસ્થા સાથે અમે લાંબી પદયાત્રા કરી. તમામ જાતિ અને વર્ગના લોકોનો સંપર્ક સાધ્યો. લોકજીવનની સમસ્યાઓનું અધ્યયન કર્યું અને તેના સમાધાનની પ્રક્રિયા રજૂ કરી.
શિક્ષણજગતની એક મોટી સમસ્યા છે અનુશાસનહીનતા. અનુશાસનનાં બે રૂપ છે- આંતરિક અને બાહ્ય. પોતાનાથી પોતાનું અનુશાસન- આ અનુશાસનનું ઉત્કૃષ્ટ રૂપ છે. આત્માનુશાસનનો વિકાસ નથી થતો ત્યારે બાહ્ય અનુશાસન આવે છે. જ્યાં બંને પ્રકારનાં અનુશાસન પ્રભાવહીન બની જાય છે ત્યાં સ્થિતિ નિયંત્રણમાંથી બહાર નીકળી જાય છે. જીવનમાં અનુશાસન શી રીતે આવે ? આ પ્રશિક્ષણ વિદ્યાલયોમાં આપવામાં આવે, પ્રાયોગિકરૂપે આપવામાં આવે તો શિક્ષણનો વ્યાવહારિક ઉપયોગ થાય છે. મહાપુરુષો પાસેથી પ્રેરણા લઈએ
જે તમારી સાથે સારો વ્યવહાર કરે તેની સાથે સારો વ્યવહાર કરવો જોઈએ અને જે તમારી સાથે ખરાબ વ્યવહાર કરે તેની સાથે ખરાબ વ્યવહાર કરવો જોઈએ- આ બધું શિખવાડવાની જરૂર નથી. માનવી સંસ્કારોની પંરપરા પોતાની સાથે લઈને આવે છે. થોડીક સમજણ વિકસિત થતાં જ તે એવી વાતો સ્વયં શીખી લે છે. તેણે શીખવાનું તો એ છે કે જે તારી સાથે સારી રીતે વ્યવહાર ન કરે તેના પ્રત્યે પણ તારા મનમાં સદ્દભાવ રહેવો જોઈએ. જે વ્યક્તિ તારા પ્રત્યે ક્રોવે કરે, તેના પ્રત્યે પણ તારે ક્ષમાભાવ કેળવવો જોઈએ. પ્રશ્ન ઉદ્ભવી શકે છે કે ક્રોધી વ્યક્તિ માટે શંકાનો ભાવ શું શક્ય છે? જે વ્યક્તિ કંઈક કરવા ચાહે છે તેને માટે કશું જ અશક્ય નથી. જેણે કંઈ જ કરવું નથી તેના શબ્દકોષમાં સંભવ જેવો શબ્દ નહીં મળે. ક્રોધને ક્ષમાથી જીતવાની પ્રેરણા ભગવાન મહાવીર પાસેથી મળે છે. મહાવીરને ઉત્તેજિત કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા. દેવોએ ઉપસર્ગો કર્યા. માણસોએ કષ્ટો આપ્યાં. પશુપક્ષીઓએ તેમને પજવ્યા. પરંતુ મહાવીર વિચલિત ન થયા. કઈ ધાતુમાંથી બન્યું હતું મહાવીરનું શરીર ? હાડમાંસનું પૂતળું જ તો હતા ! છતાં તેમની સહિષ્ણુતા અનુપમ હતી. આ જ છે તે શિક્ષણની નવી દિશા જેને આપણે વ્યક્તિત્વના પરિવર્તની કસોટી સમજીએ છીએ.
સૌકોઈ મહાવીર બની શકે નહી. પરંતુ તેમણે જેવું જીવન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org