________________
કારણ કે તેનું સમાધાન ઉપર ઉપરનું હોય છે. તે ફૂલો અને પાંદડાંને કાપે છે. તેની દષ્ટિ પરિણામ ઉપર સ્થિર હોય છે. તે મૂળને જોતો જ નથી. સમસ્યાનાં મૂળ ઉપર તે પ્રહાર જ કરતો નથી. જો એમ કરતો. હોત તો તેની ઉપર સમસ્યાઓનો વિકરાળ પંજો છવાયો ન હોત.
માનવી ભલે ગમે તે કરે પરંતુ તેણે કંઈ પણ કરતાં પહેલાં આંખો બંધ કરીને બે ક્ષણ માટે વિચારવું જોઈએ કે હું માણસ છું. માનવતાની સતત સ્મૃતિ રહેશે તો તે એમ પણ વિચારી શકશે કે હું પશું નથી. હું રાક્ષસ નથી, હું દાનવ નથી, હું કૂર નથી, હું હત્યારો નથી, હું નશાખોર નથી. નેતિ-નેતિની આ ભાષા થકી માનવીમાં હીનતાના ભાવ આવી શકે છે. તેનાથી બચવા માટે તેણે વિચારવું જોઈએ કે હું સંવેદનશીલ છું, હું કરૂણાશીલ છું, હું પ્રામાણિક છું, હું સત્યનિષ્ઠ છું, હું વ્યસનમુક્ત છું, હું આવેશમુક્ત છું અને હું જાગરૂક છું. ચિંતનના આવા પવિત્ર પ્રવાહમાં નિષ્ણાત રહેનાર માનવી જે કાંઈ કરશે તેમાં માનવતાને નહીં ભૂલે. તે પોતાના જીવનને વિકૃત નહીં થવા દે. આ જ છે શિક્ષણની નવી દિશા, જે માનવીને બીજું કાંઈપણ બનાવતાં પહેલાં સાચા અર્થમાં માનવી બનાવે છે. શિક્ષણનો ઉદ્દેશ
વિદ્યાર્થી શિક્ષણ મેળવવા માટે વિદ્યાલય, મહાવિદ્યાલયમાં જાય છે. આગળ ભણવું હોય તો વિશ્વવિદ્યાલયમાં પણ જાય છે. જો તેને પૂછવામાં આવે કે તે શા માટે ભણે છે ? તેના શિક્ષણનું લક્ષ્ય શું છે ? તો તેનો સંભવિત જવાબ કદાચ એવો હશે કે મારે એન્જિનીયર, ડોક્ટર, વકીલ, વેપારી, શિક્ષક, વૈજ્ઞાનિક વગેરે બનવું છે. કોઈ પણ વિદ્યાર્થીનો એવો ઉત્તર ભાગ્યે જ હશે કે તેણે માણસ બનવું છે. હોઈ પણ નહીં શકે. કોઈ પણ શિક્ષણ સંસ્થામાં એવો કોઈ વિભાગ જ નથી કે જેમાં માનવતાનું શિક્ષણ આપવામાં આવતું હોય. આજે અપેક્ષા એ વાતની છે કે માનવી ભલે ગમે તે કરે, પરંતુ તે માનવતાના આધારને ન ભૂલે. તે ભણે, લખે, વ્યવસાય કરે કે નોકરી કરે પરંતુ માનવીય મૂલ્યોને વિસ્મૃત ન કરે. સામાન્ય રીતે જોવા એમ મળે છે કે જે વાતો યાદ રાખવાની હોય છે તેમને ભૂલી જવામાં આવે છે અને જેનાથી કશો લાભ થવાની સંભાવના ન હોય તેવી બાબતોને યાદ રાખવામાં આવે છે. મહાપુરુષોની પ્રેરક જીવનગાથાઓને ભુલાવી દેવામાં આવી રહી છે અને અભિનેતાઓ તથા અભિનેત્રીનાં નામોને
જાનવું દર્શનનો સમાજdલ00
:30:
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org