________________
સ્થિર ક૨વા જોઈએ. વિદ્યા, અર્થ અને શક્તિનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે ? આ પ્રશ્નનો ઉત્તર સંસ્કૃતના સુપ્રસિદ્ધ શ્લોકમાં આ રીતે મળે છે
વિદ્યા વિવાદાય ધનં મદાય, શક્તિઃ પરેમાં પરિપીડનાય। ખલસ્ય સાધોઃ વિપરીતમેતત્, શાનાય, દાનાય ચ રક્ષણાય
દુર્જન વ્યક્તિ પોતાની વિદ્યાનો ઉપયોગ વિવાદ માટે કરે છે. ધન પ્રાપ્ત કરીને તે અહંકારી બને છે. અને શક્તિસંપન્ન થઈને બીજાઓને પીડા પહોંચાડે છે. જ્યારે સજ્જન વ્યક્તિ વિદ્વાન બનીને જ્ઞાનનું આદાનપ્રદાન કરે છે. સંપન્ન થઈને સમાજ તથા રાષ્ટ્રના વિકાસમાં ધનનો ઉપયોગ કરે છે અને પોતાની શક્તિનો ઉપયોગ બીજાના સંરક્ષણ માટે કરે છે.
સજ્જન અને દુર્જનનું કુશળ અને અકુશળમાં આરોપણ કરી દેવામાં આવે તો તેમની વ્યાખ્યા સ્પષ્ટ થઈ જશે. આ વ્યાખ્યાઓ સમજ્યા પછી પ્રત્યેક સમજદાર વ્યક્તિ કુશળ બનવાની દિશામાં આગળ વધવા ઇચ્છશે. તેની એક જ દિશા છે - પ્રેક્ષાધ્યાન’. જેણે ધ્યાનની સાધના શરૂ કરી દીધી, તેણે કુશળતાના માર્ગ ઉપર પદાર્પણ કરી દીધું. ધ્યાનનો સાધક પોતાનું ચિંતન બદલે છે, પોતાનો વ્યવહાર બદલે છે અને બીજાઓના પરિવર્તનનું પોતે નિમિત્ત બને છે. પરિવર્તન દ્વારા જે પરિણામ આવે છે તે વ્યક્તિને મૌન પ્રેરણા આપે છે કે કામકાજમાં જ નહીં, જીવનશૈલીમાં પણ કૌશલનો પ્રવેશ જરૂરી છે.
જીવનશૈલીમાં કૌશલનો પ્રવેશ જરૂરી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
૧૭૫
www.jainelibrary.org