________________
પુવમકાસી પમાએણે”. પ્રમાદવશ આ જ સુધી જે કાંઈ કર્યું તે હવે નહીં કરું.
સાધક વિચારે છે કે અત્યાર સુધી તે કુશળ નહોતો. તેનો વિવેક જાગૃત નહોતો. તેથી તેના દ્વારા પ્રમાદ થતો રહ્યો. પરંતુ હવે તે કુશળ થઈ ગયો. તેનો વિવેક જાગી ગયો. વિવેકાગ્રુતિ પછી પણ જો પ્રમાદ થતો રહે તો તે કૌશલનો શો લાભ? અતીતનું પ્રતિક્રમણ અને ભવિષ્ય તરફ જાગરૂકતા-એ જ છે કુશળતાના વિકાસની પ્રક્રિયા. જાગ્યા ત્યારથી સવાર
કેટલાક લોકો એમ વિચારે છે કે કિશોરાવસ્થા અને યુવાવસ્થામાં જે કામ ન થયું તે ઘડપણમાં શી રીતે થશે ? મારી દષ્ટિએ આ ચિંતન નિષેધાત્મક છે. કામ કરતાં કરતાં તેમાં દક્ષતા આવે છે. અંતિમ ચોટમાંથી સફળતા મળે છે. તેનો અર્થ એવો નથી કે અગાઉની તમામ ચોટ નિષ્ફળ ગઈ. અંતિમ બુંદથી ઘડો ભરાય છે. પરંતુ તેમાં પૂર્વવર્તી બુંદોનો સહયોગ અનિવાર્ય છે. તેથી અતીતમાં કાંઈ જ નથી થયું તેમ વિચારવું કુંઠિત થવા સમાન છે.
ક્યારેક ક્યારેક એવું પણ બને છે કે કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય તરફ ધ્યાન જ જતું નથી. આજ સુધી ધ્યાન ગયું નથી. હજી પણ સમય હાથમાં છે. તેને શા માટે વેડફવો ? જાગ્યા ત્યારથી સવાર- આ સુક્ત નજર સામે રાખીને પુરુષાર્થના દીપકને પ્રદીપ્ત રાખવો આવશ્યક છે. જે લોકો આ દષ્ટિએ સજગ રહેતા નથી, તેઓ પોતાની ઉંમરનો ઘણો મોટો ભાગ વ્યર્થ વેડફે છે. આવા લોકોને મારો પરામર્શ છે કે, “ગયું તે ગયું, હજી જે રહ્યું છે તેને રાખી જાણ.” જે સમય બચ્યો છે તેનો ઉપયોગ કરવાથી જીવન સાર્થક બની શકે છે. કહેવામાં પણ આવ્યું છે કે, પાછલ ખેતી નિપજે, તો પિણ દાલિદ્દર જાય.” અષાઢમાં વરસાદ ન પડ્યો. શ્રાવણમાં પણ વરસાદ ન પડ્યો. ખેડુત નિરાશ થઈ ગયો. ભાદરવા મહિનામાં વરસાદ પડ્યો. ખેડૂતે ખેતર ખેડ્યું નહીં. મિત્રોએ તેને સમજાવ્યો. તેની હિંમત વધારી. તેણે ખેતરમાં બીજ વાવ્યાં. પાક એટલો બધો પાક્યો કે તેનું ભાગ્ય બદલાઈ ગયું. જે લોકો ઉંમરના આખરી તબક્કામાં પહોંચ્યા પછી પણ કૌશલ પ્રાપ્ત કરે છે તે લોકો ઘણુંબધું કરી શકે છે. કુશળતામાં અગ્રેસર થવાની દિશા
કુશળતાના સંદર્ભમાં માનવીએ પોતાની કલ્પનાઓના માપદંડ
ex:::::::
:નવું દર્શન : નવો સમાજ::: ૧૩૮૪૦૦ew
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org