________________
આગમોમાં કુશળને અસાધારણ પુરુષ માનવામાં આવ્યો છે. તે સંદર્ભમાં લખવામાં આવ્યું છે કે – કુસલે પણ ણો બઢે ણો મુદ્દે કુશળ વ્યક્તિ ન તો ક્યાંય બંધાયેલી છે અને ન તો ક્યાંય મુક્ત છે. અહીં કુશળ શબ્દ વીતરાગનો પર્યાય છે. તેમને માટે કોઈક કલ્પ, મયદા, કે પ્રતિબંધ નથી હોતો. પ્રતિબંધ મુક્ત હોવાનો અર્થ એ નથી કે તેમનાં કાર્યોમાં કરણીય-અકરણીયનો વિવેક નથી હોતો. તેઓ એવું કોઈ કામ કરતા જ નથી કે જે અકરણીય હોય. આ દૃષ્ટિએ એમ કહ્યું કે તેઓ મુક્ત પણ નથી. અકુશળ અને કુશળનાં કાર્યોમાં કેટલો મોટો તફાવત હોય છે ! અકુશળ વ્યક્તિ ઉપર પોતાના આત્માનું નિયંત્રણ નથી હોતું તેથી તેના માટે વ્યવસ્થાગત અથવા પરકૃત નિયંત્રણ જરૂરી બની જાય છે. કુશળ વ્યક્તિ આત્માનુશાસન વડે બંધાયેલી રહે છે, તેથી ત્યાં બાહ્ય નિયંત્રણ અકિંચિકર બની જાય છે. કેવી રીતે આવે છે કૌશલ?
કૌશલના સંદર્ભમાં ચાર પ્રકારની બુદ્ધિઓનો બોધ પ્રાસંગિક લાગે છે. અમૃતનિશ્ચિત મતિના ચાર પ્રકાર દશર્વિવામાં આવ્યા છે : ઔત્પત્તિકી, વૈનાયિકી, કામિકા અને પારિણામિકી.
ઔત્પત્તિકી- સર્વથ અદષ્ટ અને અશ્રુત વિષયનું એકાએક જ્ઞાન થવું તે ઔત્પત્તિની બુદ્ધિનું કામ છે.
વૈનાયિકી- વિનય એટલે વિધિપૂર્વક શિક્ષણ. તે શિક્ષણ દ્વારા ઉત્પન્ન થતી બુદ્ધિ એટલે વૈનયિકી બુદ્ધી.
કાર્મિકી- કર્મનો અર્થ છે અભ્યાસ. અભ્યાસ કરતાં કરતાં કોઈ કલા કે વિદ્યા અધિગત (પ્રાપ્ત) થાય છે તેને કામિની બુદ્ધિ કહેવામાં આવે છે.
પારિણામિકી- ઉંમરની સાથે સાથે વધતા જતા અનુભવમાંથી જે બુદ્ધિ પ્રાપ્ત થાય છે તે પારિણામિકી બુદ્ધિ કહેવાય છે. - ઉક્ત ચારે પ્રકારની બુદ્ધિઓમાં કામિની બુદ્ધિનો સંબંધ કૌશલ સાથે છે. કર્મ કરતાં કરતાં તેમાં જે સુઘડતા અને દક્ષતા આવે છે તે કાર્યને જ કૌશલ કહેવામાં આવે છે. ત્રણ ભૂતોનું કાર્ય
કોઈ શહેરમાં સંક્રામક બીમારી પ્રસરી ગઈ. બીમારી એટલી ઝડપથી પ્રસરી ગઈ કે લોકો દરરોજ મૃત્યુ પામવા લાગ્યા. એક એક કરીને સેંકડો લોકો મૃત્યુ પામ્યા. ડોક્ટર, વૈદ્ય વગેરે પોતપોતાની
sessessessedજીવનટીલીમાંકૌશલનો પ્રવેશ જરૂરી છે
:pesetze૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org