________________
શિવાજીવનશૈલીમાં કૌશલનો amega પ્રવેશ જરૂરી છે. ઘણા
માનવી પ્રવૃત્તિ કરે છે. તેનાં ત્રણ સાધન છે. શરીર, વાણી અને મન. જેન દર્શનમાં તેમને માટે યોગ શબ્દનો પ્રયોગ થાય છે. યોગની પરિભાષા કરતાં કહેવામાં આવ્યું છે કે- મનોવાકાયવ્યાપારો યોગ”મન, વાણી અને શરીરના વ્યાપારનું નામ યોગ છે. ગીતાની પરિભાષા મુજબ કર્મમાં કૌશલનો યોગ માનવામાં આવ્યો છે. કર્મ કરવું માનવીની વિવશતા છે. જ્યાં સુધી શરીર, વાણી અને મન સક્રિય છે, ત્યાં સુધી તે કાંઈક ને કાંઈક કરતો રહે છે. તેને છોડી શકતું નથી. આ તથ્યને ત્યાં એ સ્વરૂપે રજૂઆત કરી છે કે “ન હિ કિશ્ચિત્ ક્ષણમપિ જાતુ તિષ્ઠત્યકર્મકતુ”- કોઈ વ્યક્તિ ક્યારેય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વગર રહી શકતી નથી.
કર્મનાં બે સ્વરૂપ છે. સહજ અને સુચિંતિત. સહજ કર્મ થતું રહે છે. તેને માટે વિચારવાની અપેક્ષા નથી હોતી. માખી દિવસભર ઊડ્યા કરે છે. માછલી પાણીમાં તર્યા કરે છે. મચ્છર ઊડતો રહે છે. માંકડ કરડતો રહે છે. કોઈ ચકલી દર્પણ સામે બેસે તો આખો દિવસ પ્રતિબિંબ સાથે લડતી રહે છે. તેની લડાઈ કોઈ બીજા સાથે નથી હોતી. પોતાના પ્રતિબિંબ સાથે હોય છે. તેમાં વિવેક નથી હોતો. તેથી તે પોતાના જ પ્રતિબિંબને બીજી ચકલી સમજીને તેને ચાંચ માય કરે છે. લડતાં લડતાં તેની ચાંચ લોહીલુહાણ થઈ જાય તો પણ તે લડાઈ બંધ કરતી નથી. આવાં કાર્યોમાં કૌશલની વાતનો કોઈ તક નથી. કૌશલનો પ્રશ્ન ત્યાં આવે છે જ્યાં કર્મ સુચિંતિત હોય છે. વિવેક સહિત સંપાદિત કરવામાં આવે છે. કુસલે પુણ ણો બદ્ધ ણો મુદ્દે
કૌશલપૂર્વક કાર્ય કરનાર વ્યક્તિ કુશળ કહેવાય છે. જૈન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org