________________
મુંબઈમાં નેશનલ ચર્ચના અધ્યક્ષ ફાધર વિલિયમ અમારા સંપર્કમાં આવ્યા. તેમને અણુવ્રત વિશે સમજાવવામાં આવ્યું. તેઓ અણુવતી બન્યા. પૂર્ણ સમજ અને ઊંડી નિષ્ઠા સહિત તેઓ અણુવ્રતી બન્યા. તે અણુવ્રતનું જાગરૂકતાથી પાલન કરતા અને જ્યાં જ્યાં જતા
ત્યાં ત્યાં અણુવ્રતની વાત કરતા. તેઓ સારા પ્રવક્તા હતા. એક વખત મુંબઈમાં અણુવ્રત સભાને સંબોધિત કરતાં તેમણે નાનકડી વાત કહી. ઓજપૂર્ણ ભાષા અને પ્રભાવીશૈલીમાં તેમણે કહેલી તે કથાને હું આજે પણ ભૂલી શક્યો નથી. તેમણે કહ્યું –
માટલું દહીંથી ભરેલું હતું. ગૃહિણી તેના ઉપર ઢાંકણું ઢાંકવાનું ભૂલી ગઈ. તેમાં બે દેડકા પડ્યા. એક દેડકો ગભરાઈ ગયો. ભયના કારણે તેનું શરીર જડ બની ગયું. તે ધીરે ધીરે દહીંમાં ડૂળ્યો અને મૃત્યુ પામ્યો. બીજા દેડકાએ વિચાર્યું કે મોત સામે ઊભું છે. જો બચાવ થઈ શકે તો થોડોક પુરુષાર્થ કરી જોવો જોઈએ. આવા ચિંતન સાથે તેણે દહીંમાં હાથપગ હલાવવાનું શરૂ કર્યું. દહીંનું મંથન થયું. તેમાંથી માખણ નીકળ્યું. માખણનો ગોળો બની ગયો. દેડકો આરામથી તેની ઉપર બેસી ગયો. એટલામાં ત્યાં ગૃહિણી આવી પહોંચી. તેણે દેડકાને બહાર કાઢ્યો. તે બચી ગયો.
આ એક વાત છે. તેનું પ્રતિપાદ્ય છે પુરુષાર્થની પ્રેરણા. માનવી પુરુષાર્થમાં વિશ્વાસ કરે અને ઘેયપૂર્વક તેના પરિણામની પ્રતીક્ષા કરે તો યોગ્ય સમયે તેનું પરિણામ મળશે જ. આ દષ્ટિએ આધ્યાત્મિક વૈજ્ઞાનિક વ્યક્તિત્વના નિમણિમાં અમે અમારા શ્રમ અને શક્તિનું નિયોજન કર્યું છે. જીવનવિજ્ઞાન વ્યક્તિત્વનનિમણનો એક ઘટક છે. બાળકમાં વ્યક્તિત્વની છુપાયેલી શક્યતાઓને પ્રગટ કરવામાં તેનો પ્રયોગ સફળ અને સાર્થક નીવડી શકે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org