________________
અર્થ-ધનને જ અર્થ અને પરમાર્થ સમજે છે. અધ્યાત્મ કે પરમાર્થની ચિંતા તેને માટે અનર્થ બની રહે છે.
આ વખતે (સને ૧૯૯૪) દિલ્હી આવ્યા પછી અનેક વિશિષ્ટ વ્યક્તિઓ સંપર્કમાં આવી. તેમાં રાજનેતા, સમાજનેતા, શિક્ષણશાસ્ત્રી વગેરે તમામ પ્રકારના લોકો હતા. મેં તેમની સાથે વાત કરી. મારા મનની કલ્પના તેમને જણાવી. રાષ્ટ્રીય ચરિત્રને ઉન્નત કરવાની ચર્ચા કરી. તેમણે મારી વાતમાં પૂર્ણ રસ લીધો. મારી કલ્પનાનું ઔચિત્ય સિદ્ધ કર્યું. ત્યાં સુધી કહ્યું કે કામ બહુ સારું છે, કરવું જ જોઈએ. આપ પ્રારંભ કરો. તેમાં અમારો સહયોગ મળી રહેશે. પરંતુ કોઈએ એમ ન કહ્યું કે આ કામ આપ અને અમે સાથે મળીને કરીશું. મને આશ્ચર્ય તો ત્યારે થયું કે જ્યારે કેટલાક લોકો એ કહ્યું કે, “આચાર્ય શ્રી ! પરિસ્થિતિઓ એવી વિષમ બની ગઈ છે કે હવે આપણા દેશમાં કાંઈ થઈ શકે તેમ નથી.' નિરાશાના આવા સ્વર સાંભળીને મનમાં થાય છે કે લોકોને આ શું થઈ ગયું છે ? શું અમારું બોલવું, ગાવું, સમજવું, કોઈ પરિણામ લાવશે ખરું ? જો કશું થવાનું જ ન હોય તો આ દિશામાં આટલો પુરુષાર્થ શા માટે કરવો ? દિશા બદલવાની વાત પણ સમજાતી નથી. પુરુષાર્થથી વ્યક્તિત્વ બને છે
આધ્યાત્મિકવૈજ્ઞાનિક વ્યક્તિત્વના નિમણિનું સ્વપ્ન જેટલું આકર્ષક છે, તેને ફલિત કરવું એટલું જ કઠિન છે. કારણ કે તેમાં માનવીને બદલવો પડશે. બદલવાની વાત સૌથી વધુ કઠિન છે. જે વ્યક્તિ સતત આપણી સાથે રહે છે. તેને પણ બદલવાનું મુશ્કેલ છે. જે લોકો બદલવાનું લક્ષ્ય લઈને આવે છે તેમને બદલવામાં પણ સમય અને શ્રમની અપેક્ષા રહે છે. આવા સંજોગોમાં અજનબી લોકોની વચ્ચે પરિવર્તનની વાત કેવી રીતે પ્રભાવક બની શકે ? આ આશંકા હોવા છતાં અમે એક પ્રયોગ કરવા ઇચ્છીએ છીએ. પ્રાયોગિક જીવનમાં અમારો વિશ્વાસ છે. કોઈ પણ પ્રયોગ હોય, તેનું પરિણામ આવે છે, નિશ્ચિતરૂપે આવે છે. પુરુષાર્થની પરિણતિમાં વિલંબ થઈ શકે છે, પરંતુ ત્યાં અંધકારને અવકાશ નથી. આપણે જીવનભર પ્રયત્ન કરીએ, પ્રયોગો કરીએ, સંભવતઃ તેનું વાંછિત પરિણામ મળી શકશે. હાથ પગ હલાવતાં હલાવતાં દહીંમાંથી માખણ નીકળી આવશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org