________________
સત્યની શોધમાં જોડાઈ જઈએ તો ક્યારેક તો કોઈ દરવાજો સ્વયં ખૂલી જશે અને અજ્ઞાત જ્ઞાત બની જશે. આ ત્યારે જ શક્ય છે જ્યારે શોધની મનોવૃત્તિ હોય. આજે અનેક વ્યક્તિઓ થિસિસ લખે છે. થિસિસ લખવા માટે શોધ આવશ્યક છે. પરંતુ કોઈ પણ શોધપ્રબંધનો ઊંડાણથી અભ્યાસ કરવામાં આવે તો એમ લાગે છે કે તે માત્ર સંકલન છે. શોધ નામનું તત્ત્વ તેમાં છે જ નહીં, માત્ર સંકલનના આધારે ડિગ્રી મળી જાય છે. આવી શોધો વડે સત્યનો સાક્ષાત્કાર થઈ શકતો નથી. અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય
જીવનવિજ્ઞાનનો ઉદ્દેશ છે આધ્યાત્મિકવૈજ્ઞાનિક વ્યક્તિત્વનું નિમણ. અધ્યાત્મ અને વિજ્ઞાન બંને પરસ્પરનાં પૂરક છે. તેથી બંનેનો સાપેક્ષ વિકાસ જરૂરી છે. યોગક્ષેમ વર્ષમાં પ્રવચનની પૂર્વે એક ગીત ગાવામાં આવતું હતું. તે ગીતનું એક પદ્ય છે.
કોરી આધ્યાત્મિકતા યુગ કો ત્રાણ નહીં દે પાયેગી કોરી વૈજ્ઞાનિકતા યુગ કો પ્રાણ નહીં દે પાયેગી, દોનોં કી પ્રીતિ જુડેગી, યુગધારા તભી મુડેગી /
ક્યા-ક્યા પાના હૈ, પહલે આંક લો //
અધ્યાત્મના ક્ષેત્રમાં વિકાસની અનેક સંભાવનાઓ છે, પરંતુ માત્ર અધ્યાત્મવિકાસથી માનવીનું કામ નહીં ચાલે. વૈજ્ઞાનિક ઉપલબ્ધિઓ વડે માનવીની આંખો વિસ્મિત બની છે. પરંતુ તેને આધારે માનવીના અસ્તિત્વની સુરક્ષા સંભવિત નથી. જે દિવસે અધ્યાત્મ અને વિજ્ઞાનનો યોગ થશે એ જ દિવસે યુગધારાને વાળી શકાશે. તેથી જીવનવિજ્ઞાનના માધ્યમ દ્વારા એક જ વ્યક્તિમાં અધ્યાત્મ અને વિજ્ઞાનને પલ્લવિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
અધ્યાત્મની શક્તિ અસીમ છે. માન્યતાના સ્તરે આ વાતને સ્વીકારવી એ કોઈ મોટી વાત નથી. અધ્યાત્મનાં ગૂઢ રહસ્યોને અધિગત કરવા માટે ઊંડાણમાં ઊતરવું પડશે. ભગવાન મહાવીરે જે સત્ય આપ્યું, તેના ઉપર આસ્થા રાખનાર વ્યક્તિ કહે- ‘ભંતે અયં સે અઢે, અયં સે પરમ, સેસે અણè-ભત્તે !' આપે જે કાંઈ કહ્યું છે એ જ મારે માટે યથાર્થ છે અને એ જ પરમાર્થ છે. બાકી બધું અનર્થ છે. પરંતુ ભૌતિક પરિવેશમાં આનંદાનુભૂતિ કરનાર કોઈ વ્યક્તિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org