SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ જરૂરી છે સત્યની શોધ જીવનવિજ્ઞાન કોઈ પારંપરિક જ્ઞાન નથી, શિક્ષણની કોઈ રૂઢ દિશા નથી. તેનો સંબંધ જીવનના યથાર્થ સાથે છે. તેનું આસ્થાસૂત્ર છે- “અપ્પણા સચ્ચમેસેજ'- સ્વયં સત્યને શોધો. સત્ય એક અને અખંડ છે. તેને કોઈ પૂર્ણ જ્ઞાની જ પ્રાપ્ત કરી શકે છે. જ્યાં સુધી સંપૂર્ણ સત્યને હસ્તગત કરવાની અહંતા અર્જિત થતી નથી, ત્યાં સુધી ખંડિત અને વિખરાયેલા સત્ય થકી કામ ચલાવવું પડશે. સત્યને ભલે ગમે તે વ્યક્તિ શોધે, સત્ય સદા સત્ય જ રહે છે. આપણા પૂર્વજોએ સત્યની શોધમાં પ્રસ્થાન કર્યું હતું. તેમણે સત્યને મેળવ્યું હતું. તેમના દ્વારા વારસામાં જે સત્ય મળ્યું છે તેને જ આધાર બનાવીને જીવન જીવી શકાય છે. પરંતુ બીજાઓ દ્વારા શોધેલું સત્ય વાસી થઈ જાય છે. આપણે વાસી ખોરાક ખાવાનું પસંદ કરતા નથી તો પછી વાસી સત્ય શા માટે ચલાવી લેવું ? તીર્થકર સત્યદષ્ટા હોય છે. સત્યની શોધના લક્ષ્ય સહિત તેઓ ચાલે છે અને સત્યની ઉપલબ્ધિ થાય ત્યાં સુધી ચાલતા રહે છે. તેમનું સત્ય શાસ્ત્રોનું સત્ય નથી હોતું, અનુભવનું સત્ય હોય છે. તેમની અનુભૂત વાણીને ગણધરો ગુંથે છે. તે શાસ્ત્રોનું રૂપ લે છે. એક ક્ષેત્રમાં બે તીર્થંકરો એક સાથે થતા નથી. તે બંનેની વચ્ચે સમયનો અંતરાલ હોય છે. વળી સત્ય તેમને પોતપોતાનું હોય છે. તેઓ ક્યારેય એમ નથી કહેતા કે અમુક તીર્થંકરે આમ કહ્યું છે તેથી હું આમ કહું છું. ભગવાન પાર્શ્વ જે સત્યની શોધ કરી તેનો ઉપયોગ ભગવાન મહાવીરે નથી કર્યો. તેમણે કહ્યું, મેં જોયું છે, સમજ્યું છે, અનુભવ્યું છે તેથી હું આમ કહું છું.' અમે તીર્થંકર નથી તેથી અમે બીજાઓની શોધનો ઉપયોગ કરીએ છીએ. અમે ભગવાન મહાવીર દ્વારા શોધાયેલા સત્યનો ઉપયોગ કર્યો છે અને કરતા રહીશું, પરંતુ પોતાની શોધનો રસ્તો બંધ શા માટે કરીએ ? આપણે આપણા તીર્થકરોનું અનુસરણ કરવાનું છે. આપણે સ્વયં સત્યને શોધીએ અને પોતાના દ્વારા શોધેલા સત્યને ભોગવીએ. મહાવીરે ક્યારેય એમ નથી કહ્યું કે “મેં સઘળું શોધી લીધું, હવે નવી શોધની કોઈ અપેક્ષા જ નથી.' તેમનો દષ્ટિકોણ હતો- “સ્વયં સત્ય શોધો. શોધતા જાવ અને પામતા જાવ. તમારે માટે એટલું જ શોધવાનું અને મેળવવાનું બાકી છે જેટલું મારે માટે હતું.' કેટલો ઋજુ અને વ્યાપક દૃષ્ટિકોણ છે ! તેને આધાર માનીને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005312
Book TitleNavu Darshan Navo Samaj
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy