________________
a આધ્યાત્મિક વૈજ્ઞાનિકાલ
a વ્યક્તિત્વ લાલા
જીવન એક ગીત છે- જો કોઈ ગાઈ શકે તો. જીવન એક અવસર છે. જો કોઈ તેનો ઉપયોગ કરી શકે તો. જીવન એક કર્તવ્ય છે- જો કોઈ તેનું પાલન કરી શકે તો. જીવન એક સાહસિક યાત્રા છે. જો કોઈ નિર્ભયતાપૂર્વક આગળ વધી શકે તો. જીવન એક રહસ્ય છે- જો કોઈ તેનું ઉદ્ઘાટન કરી શકે તો. સવાલ એક જ છે કે જીવનને સાર્થક કેવી રીતે બનાવી શકાય ? આજનો માનવી જીવનવિજ્ઞાનના યુગમાં જીવી રહ્યો છે. જીવનવિજ્ઞાનને કેટલાક લોકો જીવવિજ્ઞાન-બાયોલોજી સમજી લે છે, પરંતુ આ જીવજગતનાં રહસ્યોને સમજાવનારું વિજ્ઞાન નથી. તેનો સીધો સંબંધ માનવીની જીવનશૈલી સાથે છે. જે વ્યક્તિએ જીવનની કલાનો બોધ પામવો છે તેને માટે જીવનવિજ્ઞાનનું શિક્ષણ જરૂરી છે. જીવનવિજ્ઞાન પઢાઈ નથી, કઢાઈ છે. પુસ્તકીયું જ્ઞાન નથી, મનન અને નિદિધ્યાસન છે. સંત કબીરની અનુભવવાણી છે.
પઢ-પઢ પોથા જગ મુઆ, પંડિત ભયા ન કોયT ઢાઈ અક્ષર પ્રેમ કા, પઢે સો પંડિત હોય છે.
મોટા મોટા ગ્રંથો વાંચીને, પરીક્ષાઓ આપીને વ્યક્તિ ડીગ્રીઓ મેળવી શકે છે પરંતુ તે પંડિત બની શકતો નથી. પંડિત તો એ છે કે જે પ્રેમની લીપી વાંચે છે અને પ્રેમની ભાષા બોલે છે. વિદ્વતાપૂર્ણ ભાષણ આપનાર વ્યક્તિ કોઈ શ્રોતા ઉપર પોતાનો પ્રભાવ પાડી શકે કે ન પાડી શકે, પરંતુ પ્રેમના બે શબ્દો બોલીને વ્યક્તિ સમગ્ર સંસારને વશમાં કરી શકે છે. આ દષ્ટિએ પુસ્તકીયું જ્ઞાન અને ઉપલબ્ધિઓ કરતાં પણ અધિક મૂલ્ય પ્રાયોગિક જીવનનું છે. જે વ્યક્તિને પ્રાયોગિક જીવનમાં વિશ્વાસ હોય છે તે જ જીવનવિજ્ઞાન ભણી શકે છે. જે લોકોએ જીવનવિજ્ઞાનને સાંભળ્યું નથી, ભર્યું નથી, સમક્યું નથી. તેમાં તેમની આસ્થા કેવી રીતે હોઈ શકે ? કોઈપણ તત્ત્વને જોયા અને અનુભવ કર્યા પછી જ તેમાં આસ્થાના અંકુર પાંગરી શકે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org