________________
વ્યક્તિનું જીવન દર્શન બને છે.
અરિસ્સિઓ ઇહલોએ, પરલોએ અણિક્સિઓ વાસીચંદણકપ્પો ય અસણે અણસણે તહા
જે ઐહિક અને પારલૌકિક આશંસાથી મુક્ત રહે છે, વિષના ડિંખ અને ચંદનના વિલેપનને એક જ દષ્ટિએ જુએ છે તથા ભૂખ લાગવા છતાં ભોજન મળવા-ન મળવાની સ્થિતિમાં સમ રહે છે, તે વ્યક્તિનું જીવન દર્શન બને છે. પ્રેક્ષા છે એક માર્ગ
મહાવીરનું જીવનદર્શન છે સમતાનું દર્શન. તેને પ્રત્યેક વ્યક્તિ પોતાનું જીવનદર્શન કેવી રીતે બનાવી શકે ? આ એક મુખ્ય પ્રશ્ન છે. કારણ કે મહાવીર બનીને સાધના કરવાની ક્ષમતા સૌકોઈમાં નથી હોતી. જે લોકો એવી કઠોર સાધના નથી કરી શકતા તેમણે પણ નિરાશ થવાની જરૂર નથી. તેમને માટે સીધોસાદો માર્ગ છે પ્રેક્ષાનો. પ્રેક્ષા એટલે જોવું. પોતાની જાતને જોવી. ઊંડાણપૂર્વક જોવી. માત્ર જોવી. જેણે જોવાનું શીખી લીધું તેણે પ્રેક્ષાને પ્રાપ્ત કરી લીધી. પ્રેક્ષા મેળવનાર વ્યક્તિ સમતાથી જીવી શકે છે અને પોતાના જીવનને દર્શન બનાવી શકે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org