________________
જીવનની સમાપ્તિમાં પણ તે દૃષ્ટિઓ નજર સામે રાખવી આવશ્યક છે. શરીર, ઇંદ્રિય વગેરે સાત સ્તરોના આધારે જીવનની વ્યાખ્યાને સ્વીકારવામાં આવે તો શરીર અને ચેતનાનો યોગ જીવન છે અને તેમનો વિયોગ એ જીવનની સમાપ્તિ છે. સ્થૂળ શરીરનો વિયોગ થવા છતાં સંસારી આત્મા સૂક્ષ્મ શરીરો સાથે બંધાયેલો રહે છે. સૂક્ષ્મ શરીર પુનઃ સ્થૂળ શરીરનું નિર્માણ કરે છે અને જીવનયાત્રા ફરીથી શરૂ થઈ જાય છે. પર્યાપ્તિ અને પ્રાણના આધારે ટકેલું જીવન પણ ચોક્કસ કાલાવધિમાં કેદ થયેલું રહે છે. એક બિંદુએ પહોંચ્યા પછી પર્યાપ્તિ અને પ્રાણનું સામર્થ્ય સમાપ્ત થઈ જાય છે. આ ક્રમ ત્યાં સુધી ચાલુ રહે છે કે જ્યાં સુધી ચેતના પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરતી નથી.
કોનું જીવન દર્શન બને છે ?
જે વ્યક્તિ વિલક્ષણ જીવન જીવે છે, કલાપૂર્ણ જીવન જીવે છે, જાગૃતિપૂર્વક જીવન જીવે છે તેનું જીવન દર્શન બને છે. જે વ્યક્તિઓનું જીવન દર્શન બન્યું છે તેમાં મહાવીર આપણા આદર્શ છે તેમણે પોતાના જીવનનું લક્ષ્ય નિર્ધારિત કર્યું. લક્ષ્યને અનુરૂપ માર્ગ સ્વીકાર્યો. સ્વીકૃત માર્ગ ઉપર પૂર્ણનિષ્ઠાથી ચાલ્યા. તેમનું જીવન દર્શન બની ગયું.
મહાવીરનો જન્મ વિલક્ષણ રીતે થયો નહોતો. તેમનું બાળપણ પણ સામાન્ય બળકોની જેમ વીત્યું. તેમણે યુવાવસ્થામાં પ્રવેશ કર્યો, ત્યાં સુધી કોઈ વિલક્ષણતા નહોતી. અઠ્યાવીસ વર્ષ સુધીનું તેમનું જીવન એક પ્રકારનું જીવન હતું. ત્યારબાદ બે વર્ષનું જીવન નિર્ધારિત લક્ષ્યની પૃષ્ઠભૂમિને મજબૂત કરાવનારું હતું. ત્રીસ વર્ષની અવસ્થામાં તેમણે પોતાના જીવનને નવો વળાંક આપ્યો. પરિવાર, રાજભવન, રાજવૈભવ વગેરેથી મોં ફેરવીને તેઓ ચાલ્યા અને બાર વર્ષ સુધી એકાકી ચાલતા રહ્યા. તેમનું લક્ષ્ય હતું પ્રત્યેક સ્થિતિમાં સામાયિક સાધના. સામાયિક એટલે સમતામાં રહેવું, પોતાનામાં રહેવું, તેમણે સમતાનું જીવન જીવ્યું. ત્યારબાદ કહ્યુંલાભાલાભે સુહે દુખે, જીવિએ મરણે તહા । સમોનિંદાપસંસાસુ તહા માણાવમાણઓ ॥
લાભ-અલાભ, સુખ-દુ:ખ, જીવન-મરણ, નિંદા-પ્રશંસા અને આ પાંચ વિરોધી યુગલોમાં સંતુલિત રહેનાર
નવું દર્શન નવો સમાજ ૧૫૮
માન-અપમાન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org