________________
આહાર ત્યાં સુધી આયુષ્ય. ઓજ આહાર સમાપ્ત થતાં જ આયુષ્યની સમાપ્તિ નિશ્ચિત છે. બીજી પયક્તિ છે શરીરપયતિ. તેનો સંબંધ કાયબલ પ્રાણ સાથે છે. તેને શરીરમાણ પણ કહેવામાં આવે છે. ઈદ્રિય પયપ્તિ પાંચ ઈદ્રિય પ્રાણ સાથે સંબંધ ધરાવે છે. શ્વાસોચ્છવાસ પથતિનો સંબંધ શ્વાસોચ્છવાસ સાથે છે. ભાષાપતિ વચન બળ પ્રાણ સાથે જોડાયેલી છે અને મન પયપ્તિનો સંબંધ મનોબળ પ્રાણ સાથે છે.
માનવીનું જીવન ન તો કેવળ આત્માના આધારે ચાલે છે અને ન કેવળ શરીરના આધારે. આત્મા અને શરીર બંનેનો યોગ થાય છે ત્યારે જીવન ચાલે છે. જીવનની આ જ સામગ્રી જગતના પ્રત્યેક પ્રાણીને ઉપલબ્ધ થાય છે. તેથી જીવનયાત્રાનો આરંભ થઈ જાય છે. પરંતુ જીવન દર્શન બનતું નથી. તેને માટે યોગ અને ઉપયોગની અપેક્ષા રહે છે. મન વચન અને કાયાની પ્રવૃત્તિ એટલે યોગ
પ્રવૃત્તિ સારી અને ખરાબ બંને પ્રકારની હોય છે. વિવેકપૂર્વક કરવામાં આવેલી પ્રવૃત્તિ સુપ્રવૃત્તિ છે. આ વાતને એમ પણ કહી શકાય કે અધ્યાત્મ સાધાનાની દષ્ટિએ કરવામાં આવતી પ્રવૃત્તિ સુપ્રવૃત્તિ છે. લૌકિક અથવા શારીરિક દષ્ટિથી કરવામાં આવતી પ્રવૃત્તિ વ્યવહાર સંમત હોવા છતાં શુભપ્રવૃત્તિ નથી. છતાં તેમાં વિવેક જળવાય તો તેના ઔચિત્ય ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન લાગતું નથી.
ઉપયોગ એટલે શુદ્ધચેતનાનો વ્યાપાર. તે જ્ઞાનાત્મક અને દર્શનાત્મક હોય છે. ઉપયોગની ચેતના ક્ષાયિક અને ક્ષાયોપથમિક ભાવોની ચેતના છે. ક્ષાયિક ભાવથી ઉપલબ્ધ થતું જ્ઞાન એક કેવળજ્ઞાન છે અને દર્શન એક કેવળદર્શન છે. બાકીનું જ્ઞાન અને દર્શન ક્ષાયોપથમિક ભાવ છે. તેમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન- આ ચાર જ્ઞાન તથા ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન આ ત્રણ દર્શન સમાવિષ્ટ છે.
યોગ એટલે પ્રવૃત્તિ. એમ પણ કહી શકાય કે આપણી પ્રવૃત્તિનો મૂળ સ્રોત યોગ છે અને તેનો શુદ્ધીકારક ઉપયોગ છે. જ્યાં યોગ ઉપયોગ વડે નિયંત્રિત રહે છે તે જીવનને પ્રશસ્ત સમજવામાં આવે છે. જીવન સમાપ્ત કેમ થાય છે ?
જીવનની વ્યાખ્યા અને મીમાંસામાં અનેક દષ્ટિઓ કામ કરે છે.
:e2888e પ્રેક્ષા છેએક જીવનદર્શન
૧૫૭wessessessessoms
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org