________________
માનવીનું મસ્તિષ્ક ખૂબ વિકસિત છે
સંસારમાં જેટલાં નવાં સંશોધનો થયાં છે કે થઈ રહ્યાં છે, તે તમામ માનવીની દેણ છે. દેવોનું જીવનં સ્તર ઉન્નત છે. છતાં નવા વિકાસની દષ્ટિએ તેમના કર્તૃત્વ ઉપર પ્રશ્નાર્થચિ૯ લાગેલું છે. માનવી થઈને પણ જે નિષેધાત્મક ભાવોમાં જીવે છે, અમીરી-ગરીબીના અભિશાપથી સંત્રસ્ત છે, તે કોઈ મોટું કામ કરી શકતો નથી. સૌથી મોટું લક્ષ્ય છે મોક્ષ. એવું લક્ષ્ય માનવી જ બનાવી શકે છે અને એ જ મોક્ષ સુધી પહોંચી શકે છે. કેવી રીતે જીવવું?
કેટલાક લોકો નિર્લક્ષ્ય જીવન જીવે છે. જીવવાનું છે એટલે જીવે છે. આવા લોકો જીવન જીવવાની કોઈ કલા અપનાવતા નથી. કેવી રીતે જીવવું જોઈએ એવો પ્રશ્ન તેમની સામે ક્યારેય ઉદ્ભવતો નથી. જેમની સામે કલાત્મક અથવા સાર્થક જીવન જીવવાનું લક્ષ્ય હોય છે, તેઓ ઉક્ત પ્રશ્ન વિશે ગંભીરતાથી વિચાર કરે છે. નિરાશા અને કુંઠિતતામાં જીવવાનું તેમને પસંદ નથી હોતું. તેમની સામે જીવનની એક પ્રક્રિયા હોય છે. તેઓ વિચારે છે કે પર્વતના શિખરના દેવદાર ન બની શકાય તો છેવટે ખીણનો છોડ તો બનીએ ! સૂરજ જેટલું અજવાળું ન કરી શકીએ તો છેવટે દીપક તો બનીએ. રાજપથ ન બની શકીએ તો ફૂટપાથ તો બનીએ. જીવનની એકએક ક્ષણ સાર્થક બને તે માટે સમયનું સમ્યક્ નિયોજન કરવાનું શીખીએ. વિધાયક ભાવોનો વિકાસ કરીએ. પ્રત્યેક સ્થિતિમાં સંતુલન જાળવી રાખીએ. દુઃખમાં સુખની શોધ કરીએ. મહત્ત્વાકાંક્ષાઓની જાળમાં ન ફસાઈએ અને સહજ ભાવથી પોતાના પુરુષાર્થનો ઉપયોગ કરીએ. ઉક્ત ચિંતન એક વિશિષ્ટ જીવનશૈલીની સૂચના આપનારું છે. જે લોકો આ વિધિથી જીવન જીવવાનો સંકલ્પ કરે છે તેઓ કેટલીક ઉપલબ્ધિઓ કરી શકે
જીવન કક્યાં સુધી ?
જેના દર્શનના મતાનુસાર જીવનનો સંબંધ પતિ અને પ્રાણ સાથે છે. જન્મના પ્રારંભમાં પૌગલિક શક્તિનું નિર્માણ એટલે પયપ્તિ. પયપ્તિની અપેક્ષા રાખતી જીવનની શક્તિ એટલે પ્રાણ. પયપ્તિઓ છ છે અને પ્રાણ દશ છે. સૌથી પ્રથમ આહારપયપ્તિનું નિમણિ થાય છે. તેનો સંબંધ આયુષ્યપ્રાણ સાથે છે. જ્યાં સુધી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org