________________
ગાથાઓએ અમારા મનને પ્રભાવિત કર્યું. યુનિવર્સિટીનું શિક્ષણ સમાપ્ત થતાં જ હું તેમની પાસે ગયો. કોટ, પેન્ટ અને નેકટાઈ પહેરીને હું ગાંધીજીને મળ્યો. નમસ્કાર કરીને મારો પરિચય આપ્યો. ગાંધીજીએ કહ્યું, ‘શ્રીમન, તું શા માટે આવ્યો છે ?' મેં ગર્વપૂર્વક કહ્યું, મેં યુનિવર્સિટીની ડીગ્રી પ્રાપ્ત કરી લીધી છે. હવે હું આપના આશ્રમમાં કામ કરવા ઇચ્છું છું. આપ મને સેવાની તક આપો.' મારી વાત સાંભળીને ગાંધીજીએ મારા ઉપર એક ભરપૂર નજર નાખી અને કહ્યું, ‘તું કામ કરવા ઇચ્છે છે. તો લે આ પાવડો હાથમાં અને જમીન ખોદવા માંડ.' એકાદ બે ક્ષણ માટે હું સન્નાટામાં આવી ગયો. મેં મનોમન વિચાર્યું કે હું એક યુનિવર્સિટીનો વિદ્યાર્થી, મારી આવી વેષભૂષા, જ્યારે બાબાએ મને કેવું કામ સોંપ્યું ? ક્યાંક તે પાગલ તો નથી થઈ ગયા ને ? સંયોગવશ મેં મનની વાત મનમાં જ રાખીને પાવડો પકડ્યો. ભીતરમાંથી કોઈ અજ્ઞાત પ્રેરણા જાગી. હું કામ કરવા લાગ્યો. તે દિવસે મને જીવનનો એક નવો બોધપાઠ મળ્યો. મેં જાણી લીધું કે જ્યાં સુધી વ્યક્તિ કામ કરવાનું શીખતી નથી ત્યાં સુધી તેનું શિક્ષણ બેકાર જ રહે છે.’
શ્રીમન્નારાયણનું આ સંસ્મરણ જ્યારે જ્યારે યાદ આવે છે ત્યારે અત્યંત પ્રેરક લાગે છે. આજે વિદ્યાર્થીઓને આ બધું ભણાવવાની અપેક્ષા છે. જ્યાં સુધી તેઓ કામકાજથી દૂર ભાગશે, શ્રમશીલ નહીં બને, ત્યાં સુધી તેમનું શિક્ષણ સાર્થક નહીં બને. અમારા સાધુઓ ભણે છે, સાથોસાથ શ્રમ પણ પૂરેપૂરો કરે છે. શ્રમણ સંસ્કૃતિમાં શ્રમની ભારે પ્રતિષ્ઠા છે. સાધુ બનનાર વ્યક્તિ સાધારણ ઘરની હોય કે કરોડપતિ હોય તેણે શ્રમ તો કરવો જ પડશે. પોતાનું કામ પોતાના હાથે જ કરવું પડશે. હાથમાં પાત્ર લઈને જીવન-યાપન માટે ભિક્ષા વહોરવી જ પડશે. શ્રમશીલતા અને પરંપરાગત કાર્ય પ્રત્યે ગૌરવની ભાવના વ્યક્તિની કાર્યદક્ષતામાં અત્યંત ઉપયોગી નીવડી શકે છે.
Jain Educationa International
કાર્યક્ષેત્રમાં નિપુણતા ૧પ૩
For Personal and Private Use Only
www.jainelibrary.org