SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ સહિષ્ણુતા જે વ્યક્તિનો સંગ સંતુલિત રહે છે તે સ્વસ્થ જીવન જીવી શકે છે. સંતુલનની સાથે જ સહિષ્ણુતા જોડાયેલી છે. સહિષ્ણુતા માટે એક શબ્દ છે શાન્તિ. ક્ષાન્તિની વ્યાખ્યા કરતાં કહેવાયું છે કે - સહનં સર્વકષ્ટાનાગપ્રતિકારપૂર્વકમાં ચિત્તાવિલાપરહિતત્વા ક્ષાન્તિરિત્યભિધીયતે | શારીરિક, માનસિક અને ભાવાત્મક તમામ પ્રકારનાં કષ્ટોને સહન કરવાં એટલે ક્ષત્તિ. કેટલાક લોકો સહન કરે છે પરંતુ સાથે સાથે ચિંતા અને વિલાપ પણ કરે છે. આ દુર્બળતા છે. દુર્બળ વ્યક્તિઓને સહન કરવું, દીનતાપૂર્વક સહન કરવું અભિશાપરૂપ લાગે છે. કેટલાક લોકો કષ્ટપ્રદ સંજોગોનો પ્રતિકાર કરતા રહીને સહન કરે છે. કેટલાક લોકોના મનમાં પ્રતિક્રિયાઓ થતી રહે છે, છતાં તેઓ નામ, પ્રતિષ્ઠા કે કોઈ વિશેષ લાભ માટે સહન કરતા રહે છે. આ સ્થિતિ પણ નિરપેક્ષ નથી. સામેની વ્યક્તિ મને સહન કરે છે તો હું અસહિષ્ણુ બનીને શી રીતે કમજોર પડું ? એવું ચિંતન વ્યક્તિને સહનશીલ બનાવે છે. - વિશ્વવિદ્યાલયની પરીક્ષાઓ પાસ કરીને એક યુવક સીધો સંત કબીર પાસે પહોંચ્યો. કબીરે તેને આવવાનું પ્રયોજન પૂછ્યું. યુવક બોલ્યો, “બાબા ! ભણવાનું તો પૂરું થઈ ગયું. માતાપિતા મારાં લગ્ન કરવા ઈચ્છે છે. મારા મનમાં સંતો-મહાત્માઓનું આકર્ષણ છે. હું દુવિધાના કિનારે ઊભો છું. કોઈ નિર્ણય કરી શકતો નથી. આપની પાસેથી માર્ગદર્શન ઈચ્છું છું.' કબીરજી ભારે વિચિત્ર સંત હતા. તેમણે પત્નીને દીવો પેટાવીને લાવવાનો આદેશ આપ્યો. બપોરનો સમય હતો છતાં તેણે દીવો પેટાવ્યો. યુવક થોડોક નિરાશ થઈ ગયો. કબીરે દૂધ મંગાવ્યું. તેમની પત્ની દૂધના બે પ્યાલા મૂકીને ચાલી ગઈ. તે પાછી આવી ત્યારે ખાંડ માટે પૂછવા લાગી. કબીરે દૂધના બે ઘૂંટડા પીધા અને કહ્યું, દૂધ બરાબર છે ખાંડની જરૂર નથી. યુવક મૌન રહી શક્યો નહીં. તેણે કહ્યું, “બાબા ! દૂધ તો ખારું છે. આપે માતાજીને કહ્યું કેમ નહીં ?” કબીરજી બોલ્યા, “આ તારા માટે માર્ગદર્શન છે.” યુવક સમજ્યો નહીં. કબીરે રહસ્યોદ્દઘાટન કરતાં કહ્યું, “મારી પત્ની મને સહન કરે છે. મેં દિવસના અજવાળામાં દીવો પેટાવવાનો આદેશ આપ્યો છતાં તેણે કોઈ તર્ક કર્યો નહીં. દીવો પેટાવીને મૂકી દીધો. તે મને આટલું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005312
Book TitleNavu Darshan Navo Samaj
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy