________________
મનોબળ સફ્ળતામાં સૌથી મોટું વિઘ્ન છે. કામ નાનું હોય કે મોટું, જો મનોબળ સાથ ન આપે તો તે પૂર્ણ થઈ શકતું નથી. દૃઢ મનોબળવાળી વ્યક્તિનો સંકલ્પ હોય છે કે તે વિઘ્નો-અવરોધો સામે લડશે, ઝઝૂમશે, કાર્યને અધવચ્ચે નહીં છોડે.
કીડી દીવાલ ઉપર ચડે છે ત્યારે લપસીને ક્યારેક નીચે પડે છે. એક વખત નહીં વારંવાર પડવા છતાં તે પોતાનો માર્ગ બદલતી નથી. એક સમય એવો આવે છે કે જ્યારે તે ઉપર ચડવામાં સફળ થાય છે. કીડીની સફળતા ઉત્સાહી વ્યક્તિમાં નવો આત્મવિશ્વાસ પેદા કરે છે. તે પોતાની સુષુપ્ત શક્તિને જગાડીને કાર્યમાં સંલગ્ન બને છે. અવરોધો તેને પજવે છે, પરંતુ કીડીનો પુરુષાર્થ યાદ આવતાં જ તેની પરેશાની દૂર થઈ જાય છે. પછી ભવિષ્યની આશંકા તેના મનને કમજો૨ ક૨ી શકતી નથી. આ દૃષ્ટિએ કાર્યક્ષેત્રમાં સફળતાનું પ્રથમ સૂત્ર છે મનોબળ. સંવેગોનું સંતુલન
કાર્યક્ષેત્ર ગમે તે હોય, તેમાં કામ કરનાર વ્યક્તિ એકલી નથી હોતી. એકલી વ્યક્તિ સ્વતંત્ર હોય છે. તે પોતાની મનમરજીથી ચાલે, તો પણ તેને કોઈ કહેનાર હોતું નથી. એક થી બે થતાં જ સમષ્ટિનો પ્રારંભ થઈ જાય છે. ત્યાં એકબીજાની ઇચ્છાઓ અને અપેક્ષાઓને ધ્યાનમાં રાખવી જરૂરી બને છે. અન્યથા શાંતિભંગ થવાની આશંકા ઉદ્ભવે છે. તે માટે સંવેગોના સંતુલનની વાત અત્યંત મહત્ત્વની છે. અસંતુલન કોઈપણ સંજોગોમાં સારું નથી. પ્રકૃતિ અસંતુલિત બને છે ત્યારે સર્વનાશ સર્જાય છે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, પૂર, તોફાન, ધરતીકંપ વગેરે પ્રાકૃતિક અસંતુલનનાં પરિણામો છે. માનવીનું અસંતુલન પરિવાર અને સમાજમાં ઉથલપાથલ મચાવી દે છે. પારિવારિક ઝઘડા, સામાજિક સંઘર્ષ, યુદ્ધનો ઉન્માદ વગેરે સ્વયં કોઈ પ્રવૃત્તિ નથી. માનવી પોતાના સંવેગો ઉપરનું નિયંત્રણ ગુમાવે છે. તેથી તેમ બને છે. કર્મશક્તિના અપવ્યય અને સંકુચનમાં પણ સંવેગોનો જ મુખ્ય હાથ છે. તેથી સંવેગ-સંતુલનના સિદ્ધાંતને પ્રાયોગિક બનાવવો જોઈએ. તેના વગર ન તો વિદ્યાર્થી સફળ થઈ શકે છે ન તો શિક્ષક. ન ગૃહસ્થીનું સમ્યક્ સંચાલન શક્ય બને છે અને ન સંન્યાસનું. અસંતુલિત અવસ્થામાં ન તો બાળક સ્વસ્થ રહી શકે અને ન તો વૃદ્ધ. આ દૃષ્ટિએ સંવેગ-સંતુલનનું મહત્ત્વ છે.
નવું દર્શન નવો સમાજ પ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org