________________
ઉપાધિના વિષયમાં વિચારવામાં આવે તો ન તો તેની કોઈ દવા છે, ન વૈદ્ય છે અને ન પથ્ય છે. ઉપાધિની ચિકિત્સા થાય છે વિવેકજાગરણ દ્વારા. તે એક આંતરિક બીમારી છે. તેનું સ્વરૂપ છે કષાય, વાસના, સંવેગ વગેરે. તેના પ્રભાવને ક્ષીણ કરવા માટે ધ્યાન, પ્રાણાયામ, અનુપ્રેક્ષા, યોગાસન, વગેરેનો અભ્યાસ આવશ્યક છે. એક શબ્દોમાં કહેવું હોય તો આત્મરમણ અથવા આત્મસંયમની પ્રક્રિયા દ્વારા જ આ બીમારીમાંથી મુક્તિ સંભવ છે. ભાવોનો સંઘર્ષ
સૈદ્ધાંતિક દૃષ્ટિએ ભાવોની મીમાંસા કરવામાં આવે તો મુખ્યત્વે આપણી સમક્ષ બે ભાવ છે ઉદય અને ક્ષયોપશમ. મોહકર્મના ઉદયથી માનવીના ભાવ વિકૃત બને છે. ક્ષયોપશમ તેમનું શુદ્ધીકરણ કરે છે. ઉદય અને ક્ષયોપશમનો સંઘર્ષ ચાલ્યા જ કરે છે. સાધક જુએ છે કે ઉદય વારંવાર ક્ષયોપશમને પછાડે છે. છતાં તે નિરાશ થતો નથી. પુરુષાર્થના અસ્ત્રને ધારદાર રાખનાર ક્ષયોપશમ ભાવને પ્રબળ બનાવી લે છે. પરંતુ જાગરૂકતા અને પુરુષાર્થના અભાવે ઉદય-ભાવનો મુકાબલો મુશ્કેલ બની જાય છે. મટકીમાં દહીં પડ્યા પછી હાથ પગ હલાવતો દેડકો બચી ગયો અને નિષ્ક્રિય થઈને બેસી રહેનારો મૃત્યુ પામ્યો. આ ઘટનાથી ક્ષયોપશમ અને ઉદય ભાવને સમજી શકાય છે. ઉદય અને ક્ષયોપશમ ભાવનો સંઘર્ષ સાતમા ગુણસ્થાનક સુધી છે. ત્યાર બાદ મોહકર્મના ઉપશમ અથવા ક્ષયની સ્થિતિ આવે છે. આ સંદર્ભમાં જયાચાર્ય શ્રીએ ચોવીસીમાં લખ્યું છે
આઠમા થી દોય શ્રેણી છે રે, ઉપશમ ખપક પિછાણી ઉપશમ જાય ઇગ્યારર્વે રે, મોહ દબાવતો જાણો
ઊધ્વરિોહણની પ્રક્રિયામાં આઠમા ગુણસ્થાનથી બે શ્રેણીઓ નીકળે છે- ઉપશમ અને ક્ષપક. ઉપશમ શ્રેણીથી આરોહણ કરનાર સાધકને પાછા વળવું પડે છે. તે અગિયારમાં ગુણસ્થાનથી આગળ વધી શકતો નથી.
ઉપશમ શ્રેણીથી ચાલનારો સાધક ક્રોધને દબાવે છે, અભિમાનને દબાવે છે, માયાને દબાવે છે અને લોભને દબાવે છે. તે પોતાના કષાયને એટલા બધા દબાવી શકે છે કે મૃતપ્રાયઃ કરી દે છે. પરંતુ તે મરતા નથી. મૂચ્છિત બને છે. એલોપથિક દવાથી દબાયેલા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org