________________
બનાવી દીધું છે. આ ઉપસર્ગ ચારેય શબ્દોમાં છે. તેના યોગથી ધિ શબ્દ બને છે. તેનો અર્થ છે માનસિક બીમારી. વિ ઉપસર્ગ જોડવાથી શબ્દ બને છે વ્યાધિ, વ્યાધિ એટલે શારીરિક બીમારી ઉપ પણ એક ઉપસર્ગ છે. તેના યોગથી ઉપાધિ શબ્દની નિષ્પત્તિ થાય છે. ભાવનાત્મક બીમારીને ઉપાધિ કહેવામાં આવે છે. જ્યાં સુધી વ્યાધિ, આધિ, અને ઉપાધિનો પ્રભાવ રહે છે ત્યાં સુધી વ્યક્તિ સ્વસ્થ બની શકતી નથી. સ્વસ્થ તે બને છે જે સમાધિમાં રહે છે. સમાધિની છત્રછાયામાં જ જીવનના આનંદનો અનુભવ કરી શકાય છે.
માનવી અસ્વસ્થ થઈને ચિકિત્સક પાસે જાય છે. ચિકિત્સક તેની તપાસ કરે છે. તે રોગને પકડવાનો પ્રયત્ન કરે છે. તે શરીર ઉ૫૨ રોગના પ્રભાવક્ષેત્રને જાણીને ચિકિત્સા કરે છે, પરંતુ રોગીને ભૂલી જાય છે. તે વ્યાધિનો ઉપચાર કરે છે, પરંતુ આધિ અને ઉપાધિ સુધી પહોંચી શકતો નથી. ઉપર ઉપરથી ઉપચાર થાય છે, પરંતુ રોગીના રોગનાં મૂળ ઊંડે ઊતરી જાય છે. કુશળ ચિકિત્સક રોગનો ઇલાજ કરતાં પહેલાં રોગીની માનસિક સ્થિતિનું અધ્યયન કરશે. તેની પરિસ્થિતિઓને સમજવા ઇચ્છશે અને તેના ભાવોને પકડશે. ભાવાત્મક સ્તરે થતી ચિકિત્સામાં શરીર, મન અને ભાવ દરેકના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
મૂળ સમસ્યા છે જ્ઞાતા અને જ્ઞેયને સમજવાની. સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક આઈનસ્ટાઈને કહ્યું, મેં પદાર્થોને ખૂબ જાણ્યા છે. હવે હું જાણનારાઓને જાણવા ઇચ્છું છું. જ્યાં સુધી શાતા અને શેય બનાવવામાં નહીં આવે ત્યાં સુધી તેનો સર્વાંગીણ બોધ મળી શકશે નહીં.
ઉપાધિની ચિકિત્સા
મેડિકલ સાયન્સનાં સંશોધનોએ આ ક્ષેત્રને અત્યંત વ્યાપક બનાવી દીધું છે. આજે હોસ્પિટલો અને ડોક્ટરોની કમી નથી. જેમ જેમ ડોક્ટરો વધતા જાય છે તેમ તેમ રોગીઓની સંખ્યા પણ વધતી જાય છે. ડોક્ટર ફિઝિશ્યન હોય કે સર્જન, તે યાંત્રિક નિદાનના આધારે ચિકિત્સા કરે છે. યંત્રોની પક્કડ સ્થૂળ હોય છે. સ્થૂળ શરીરના સ્તર ઉ૫૨ જે રોગોનાં લક્ષણો પક્કડમાં આવે છે તે જ ઉપચારનો આધાર બને છે. આવી સ્થિતિમાં આધિ અને ઉપાધિની ચિકિત્સા ગૌણ બની જાય છે.
સ્વસ્થ જીવનનો ત્રીજો ઘટક ભાવાત્મક સ્વાસ્થ્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org