________________
(૨૩)
સ્વસ્થ જીવનનો ત્રીજો
ઘટક : ભાવાત્મક સ્વાસ્થ્ય
ગામમાં કટપૂતળીઓનો ખેલ ચાલી રહ્યો હતો. બાળકો ખાવાપીવાનું ભૂલીને ખેલ જોવામાં તલ્લીન હતાં. યુવકો અને વડીલો પણ ખેલ જાવામાં સામેલ હતા. કઠપૂતળીઓ નાચી રહી હતી, ગીત ગાઈ રહી હતી, અંદર અંદર વાતો કરતી હતી, લડાઈ કરી રહી હતી અને બીજું પણ ઘણું બધું કરી રહી હતી. દર્શકો મુગ્ધ થઈ ઊઠ્યા હતા. આશ્ચર્ય એ વાતનું હતું કે લાકડાં અને કપડામાંથી બનાવેલી નિર્જીવ કઠપૂતળીઓ આટલી બધી ક્રિયાઓ શી રીતે કરી શકતી હશે?
કઠપૂતળીઓમાં ચેતના નથી હોતી. ચેતનાના અભાવે ચિંતન પણ થતું નથી. ચિંતનના અભાવે ક્રિયાનું સમજપૂર્વક સંચાલન પણ અશક્ય બને છે. કઠપૂતળીઓ સ્વયં સંચાલિત નહોતી. તેમનો સંચાલક નેપથ્યમાં હતો. તે સ્વયં અદૃશ્ય રહીને કઠપૂતળીઓનું સંચાલન કરી રહ્યો હતો.
પ્રવૃત્તિ અને ભાવ
માનવી પ્રવૃત્તિ કરે છે. તે ખાય છે, પીએ છે, હસે છે, રડે છે, ગાય છે, મારપીટ કરે છે, ગાળો બોલે છે, નિંદા કરે છે, પ્રશંસા કરે છે, ક્રોધ કરે છે, પ્રેમ કરે છે, યુદ્ધ કરે છે, ડરે છે અને ન જાણે કેટકેટલું કરે છે. એક વ્યક્તિ આટલી બધી વિરોધી પ્રવૃત્તિઓનું કેન્દ્ર હોય છે. ક્યારેક ક્યારેય તેની પ્રવૃત્તિઓ જોઈને શંકા ઉદ્ભવે છે કે બે ક્ષણ પહેલાં સંપૂર્ણ શાંત વ્યક્તિ એકાએક ઉત્તેજિત કેવી રીતે થઈ ગઈ ? આ એ જ વ્યક્તિ છે કે કોઈ બીજી વ્યક્તિ?
આ પ્રશ્ન ઉપર ગંભીરતાથી વિચાર કરવામાં આવે તો રહસ્ય જાણવા મળે છે. તે બતાવે છે કે માનવીની સઘળી પ્રવૃત્તિઓને સ્વસ્થ જીવનનો ત્રીજો ઘટક ભાવાત્મક સ્વાસ્થ્ય
૧૪ન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org