________________
તરફ વધુ ધ્યાન આપે છે. પ્રાતઃકાળે જાગરણથી માંડીને રાત્રે શયન સુધીના સમયમાં માનવી શું કરે છે ? નહાવું, ધોવું, માથું ઓળવું, દાતણ કરવું, ખાવું- પીવું, સૂઇ જવું વગેરે કાર્યો સાથે કોને સંબંધ છે, શરીરને કે મનને ? જ્યાં સુધી હું સમજી શક્યો છું ત્યાં સુધી મોટાભાગના લોકો શરીર માટે વિશેષ કામ કરે છે. મનની આટલી ઉપેક્ષા થાય તો પછી તે અસ્વસ્થ કેમ ન બને ? મનને અસ્વસ્થતાથી બચાવવા અથવા સ્વસ્થ બનાવવાની વાતથી પહેલાં જરૂરી છે મનને સમજવાની વાત. જ્યાં સુધી મનના સ્વરૂપ વિશે સમ્યક્ વિચાર કરાવમાં નહીં આવે ત્યાં સુધી મન સુમન નહીં બની શકે. મનને સુમન બનાવવું તે એક ઉપલબ્ધિ છે, પરંતુ મંઝિલ તો તેનાથી આગળ છે. જે ક્ષણે મન અમન બને છે એ જ ક્ષણે માનવી સ્વર્ગના સુખની વાંસળી વગાડી શકે છે.
મનને સુમન કે અમન બનાવવાના બે ઉપાય છે. માનસિક એકાગ્રતા અને સંકલ્પશક્તિનો વિકાસ. અતીતની સ્મૃતિ, ભવિષ્યની કલ્પના, ભૌતિક આકર્ષણ, લક્ષ્યહીન જીવન વગેરે માનસિક એકાગ્રતાના અવરોધો છે. તેમનાથી છુટકારો મેળવવાનો અમોઘ ઉપાય છે- વર્તમાનમાં જીવવું અને સમયનું નિયોજન કરવું. સમયની સુવ્યવસ્થા મનને કાર્યોમાં બાંધી રાખે છે. ખાલી મન શયતાનનું ઘર બને છે. તેથી ઇચ્છાશક્તિ અથવા સંકલ્પશક્તિના આધારે મનને સાધવાનો પ્રયાસ કરવો જોઈએ.
મનનો ઉપચાર ક્યાં થાય છે ?
જૈનઆગમોમાં બે શબ્દો આવે છે ઃ સમિતિ અને ગુપ્ત. મનની સમિતિ પણ હોય છે અને ગુપ્તિ પણ હોય છે. સમિતિ એટલે સમ્યક્ પ્રવૃત્તિ. મનનો નિરોધ શક્ય ન હોય તો તેની દિશાને સાચી રાખવા માટે મનની સમિતિને સાધન બનાવી શકાય છે. ગુપ્તિ એટલે નિરોધ. નિરોધની પ્રક્રિયાથી મન અમન બને છે, પરંતુ આ કામ એટલું સરળ નથી. જ્યાં સુધી અચિંતનની સ્થિતિનું નિર્માણ ન થાય, ચિંતન અને અચિંતનની વચ્ચે સંતુલન સાધી લેવામાં આવે તો અનેક સમસ્યાઓમાંથી બચાવ થઈ શકે છે.
માનવી પોતાને અત્યંત શક્તિશાળી સમજે છે. તે શક્તિઓનો
સ્વસ્થ જીવનનો બીજો ઘટક માનસિક સ્વાસ્થ્ય ૩૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org