________________
બીમારી બીજી અને ઉપચાર બીજો
મનનું કામ છે મનન કરવાનું. મનન કરવા માટે સામગ્રીની અપેક્ષા રહે છે. સામગ્રી સારી હોય તો મનને અહીંતહીં ભટકવાની તક મળતી નથી. સ્વાધ્યાય, ધ્યાન, જપ, સેવા, પરોપકાર વગેરે કાર્યોમાં સંલગ્ન વ્યક્તિઓનું મન સ્થિર થઈ જાય છે. પરંતુ જે મનને સામગ્રી બરાબર મળતી નથી, તે વાસના તરફ દોડે છે. વાસનાનાં અનેક રૂપ છે. ઈદ્રિયોના જેટલા વિષય છે, તે તમામ વાસના અને ઉપાસના બંનેનાં નિમિત્ત છે. તેમાં મુખ્ય ભૂમિકા છે મનની અસ્વસ્થતા અને સ્વસ્થતાની. મન અસ્વસ્થ હશે તો ઈદ્રિયો ઉપર તેનો પ્રભાવ પડશે. અને શરીર પણ અસ્વસ્થ બની જશે. સ્વસ્થ મન ઉપાસનાની દિશામાં અગ્રેસર બની શકે છે, પરંતુ તેની સ્વસ્થતા માટે પ્રયત્ન જ કોણ કરે છે?
એક ઊંટ બીમાર પડવું. વૈદ્ય કહ્યું, ‘તેને વાયુનો પ્રકોપ છે. તેની પીઠ ઉપર લોખંડનો સળીયો ગરમ કરીને ડામ લગાવો’. ઊંટનો માલિક ઘેર ગયો. તે બળદની પીઠ ઉપર ડામ લગાડવા લાગ્યો. એકાએક વૈદ્ય ત્યાં પહોંચ્યા. બળદનો ઉપચાર કરતાં જોઈને તેણે પૂછયું, “તમે તો કહ્યું હતું કે ઊંટ બીમાર છે, બળદને શા માટે ડામ લગાડો છો ?' ઊંટનો માલિક બોલ્યો, “બીમાર તો ઊંટ જ છે, પરંતુ તેની પીઠ સુધી મારો હાથ પહોંચતો નથી તેથી હું બળદની પીઠ ઉપર ડામ દઈ રહ્યો છું.'
બળદનો ઉપચાર કરવાથી ઊંટ સ્વસ્થ બની શકતું નથી. એ જ રીતે શરીરની ચિકિત્સા કરવાથી મન સ્વસ્થ થઈ શકતું નથી. મનની અસ્વસ્થતામાં શરીર અને વાણીનો યોગ હોઈ શકે છે. યોગ જ કેમ,
જ્યાં જ્યાં શરીરનો સંયોગ મળે છે ત્યાં ત્યાં મનનો દોષ હોય છે. મનના અસતુ ચિંતનથી કોઈ વ્યક્તિ ગુનેગાર બનતી નથી. તે ગુનેગારોની શ્રેણીમાં તો ત્યારે આવે છે કે જ્યારે શરીરની સક્રિયતા વડે તે મનની વાત પ્રગટ થાય છે. આમ શરીર અને મન બંનેનો સંબંધ ખૂબ ઊંડો છે. મનને સુમન અને અમન બનાવવું છે
માનવીની સારી અને ખોટી- બંને પ્રકારની પ્રવૃત્તિઓમાં શરીર અને મન બંનેની ભૂમિકા રહે છે. આમ છતાં સામાન્ય રીતે તે શરીર કરીese sense નવું દર્શની નવોસમાજaહીews
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org