SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરપ્રસાદજીના મનમાં અમારા વિશે કેટલીક ભ્રાંતિઓ હતી. તેઓ અમને રૂઢિવાદી સમજતા હતા. તેમનું ચિંતન એવું હતું કે નેચરોપથીમાં અમને વિશ્વાસ નથી. આખો દિવસ ત્યાં રહ્યા પછી અને તેમની સાથે વાતચીત કરવાથી તેમની બ્રાંતધારણાઓ બદલાઈ ગઈ. તેઓ સ્વાભાવિક રીતે જ બોલ્યા, “મારા મનમાં આપના પ્રત્યે અનેક ગેરસમજો હતી. આજે જે તમામનું નિરાકરણ થઈ ગયું. આપના વિચારોથી હું અત્યંત પ્રભાવિત થયો છું.’ પ્રાકૃતિક જીવન માનવી માટે વરદાનરૂપ છે. આ વાત જ્યારથી સમજાઈ ગઈ છે ત્યારથી અમે અમારી જીવનશૈલી બદલી લીધી છે. આ સંદર્ભમાં એક વખત મેં મહાપ્રજ્ઞજીને કહ્યું હતું કે, આપણે થોડાક મોડા પડ્યા છીએ. જો આરંભથી પ્રાકૃતિક જીવન જીવ્યા હોત તો શતજીવી બન્યા હોત. ખેર, જાગ્યા ત્યારથી સવાર. જ્યારથી અમને જ્ઞાન થયું ત્યારથી અમારો દૃષ્ટિકોણ બદલાયો છે. સ્વસ્થ રહેવા માટે દૃષ્ટિકોણને સમ્યફ રાખવો અત્યંત આવશ્યક છે. સ્વાથ્ય અને ભોજન માનવી શારીરિક દૃષ્ટિએ સ્વસ્થ રહેવા ઇચ્છે છે પરંતુ તેનો દષ્ટિકોણ સમ્યક નથી. તે સ્વાથ્યને નહીં જીભના સ્વાદને ઓળખે છે. તેના ભોજનમાં એવા પદાર્થો હોય છે કે જે સ્વાથ્ય માટે ઘાતક નીવડી શકે. અત્યંત ઠંડા અને અત્યંત ગરમ પદાર્થ, તળેલું-શેકેલું, ચટપટું, અત્યંત ગરીષ્ઠ તથા એકસાથે અધિક સંખ્યામાં ખાવામાં આવતા પદાર્થો શરીરને પોષણ નથી આપતા, પરંતુ તેનું શોષણ કરે છે. એક એક ટંકે સો-સો, પચાસ-પચાસ પ્રકારના પદાર્થો બનાવનારાઓ એવું કેમ નથી વિચારતા કે કોઈ પણ વ્યક્તિ આટલી બધી વાનગીઓ એક વખતમાં શું ખાઈ શકે ખરી ? જે ખાવાનું જ શક્ય ન હોય તો એવી પ્રતિસ્પર્ધ શા માટે કરવી જોઈએ? વળી તેમાં થતાં અપવ્યય તરફ પણ કોઈનું ધ્યાન જતું નથી. એક સમય એવો હતો કે જ્યારે મોટા ભોજન સમારોહમાં ખાદ્ય પદાર્થોની સંખ્યા પંચાયત દ્વારા નિયંત્રિત રહેતી હતી. કોઈ વ્યક્તિ આર્થિક દષ્ટિએ ગમેતેટલી સંપન્ન હોય, છતાં સામાજિક વ્યવસ્થાનું અતિક્રમણ કરી શકતી નહીં. પંચાયત સંસ્થાનું અસ્તિત્વ તો આજે પણ છે, પરંતુ તેનું વર્ચસ્વ ઘટી ગયું છે. સામાજિક નિયંત્રણના અભાવે વૈભવ-પ્રદર્શનની ઘેલી સ્પધ ચાલી રહી છે, જે કોઈપણ ઝક સ્વસ્થ જીવનનો પ્રથમ ઘટક શારીરિક સ્વાધ્યad૩૪ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005312
Book TitleNavu Darshan Navo Samaj
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy