________________
વિશ્વાસ પુષ્ટ બની જાય છે. કેટલાક લોકો સ્વાથ્યની ઉપેક્ષા કરે છે, પરંતુ તેમણે એ ન ભૂલવું જોઈએ કે આનંદમય જીવનનો એક ઘટક તે પણ છે. એક પ્રસિદ્ધ કહેવત છે કે જેણે ધન ગુમાવ્યું તેણે કશું જ નથી ગુમાવ્યું, જેણે સ્વાચ્ય ગુમાવ્યું તેણે કંઈક ગુમાવ્યું છે, પરંતુ જેણે ચારિત્ર ગુમાવ્યું તેણે તો સર્વસ્વ ગુમાવ્યું છે. આ દ્વારા સ્વાથ્યનું મહત્ત્વ સમજી શકાય છે. શારીરિક સ્વાથ્યની સુરક્ષાના ત્રણ માર્ગ છે :
* એવી જીવનશૈલીનું અનુસરણ કરવું કે જેથી બીમારીઓ
ટાળી શકાય. * અસાવધાની કે સંયોગવશ કોઈ બીમારીનું આક્રમણ થઈ જાય તો પ્રાકૃતિક સાધનો વડે પુનઃસ્વાથ્યલાભ માટે પ્રયત્ન કરવો. * જરૂર હોય તો અનુભવી ચિકિત્સકનો સહયોગ લેવો.
અમારી કલકત્તાની યાત્રા દરમિયાન અમારો એક પડાવ જસીડીમાં થયો. ત્યાં નેચરોપથીના અનુભવી ચિકિત્સક શ્રી મહાવીરપ્રસાદજી હતા. અમે તેમના પ્રાકૃતિક ચિકિત્સાકેન્દ્રમાં ઊતર્યા. ત્યાં અમને તેઓ મળ્યા અને કહ્યું, “આચાર્યશ્રી, આપના વિશે સાંભળ્યું તો ઘણું બધું હતું પરંતુ મળવાનું સૌભાગ્ય આજે જ પ્રાપ્ત થયું. અહીં અમારું ચિકિત્સાકેન્દ્ર ચાલે છે. અમે પ્રાકૃતિક વિધિઓ દ્વારા રોગીઓના ઈલાજ કરીએ છીએ. માટી-પાણીનો પ્રયોગ અને ખાણી-પીણીનો સંયમ. અમારા મત મુજબ આ ચિકિત્સા પદ્ધતિ અત્યંત ઉપયોગી છે. આપની રુચિ તેમાં છે કે નહીં ?'
મહાવીરપ્રસાદજીની વાત સાંભળીને મેં કહ્યું :
પ્રાકૃતિક ચિકિત્સામાં જ માત્ર નહીં, અમે તો પ્રાકૃતિક જીવનમાં પણ વિશ્વાસ ધરાવીએ છીએ. જેનો મુખ્ય તત્ત્વો છેપદયાત્રા, નિયમિત દિનચય, ધ્યાન, સ્વાધ્યાય, આસન વગેરેના પ્રયોગ, ખાણીપીણી પ્રત્યે જાગરૂકતા, ઈદ્રિયસંયમ અને માનસિક પ્રસન્નતાનો અભ્યાસ. મારી શ્રદ્ધા છે કે જો જીવનશૈલી સારી અને સાચી હોય તો અસ્વસ્થતા ભાગ્યે જ જોવા મળશે. પરંતુ આજે સ્થિતિ ઊલટી છે. ખાદ્યસામગ્રી શુદ્ધ મળતી નથી. પ્રદૂષણ સતત વધતું જાય છે. જીવનમાં દોડધામનું પ્રમાણ વિશેષ રહે છે. આ જ કારણે બીમારીઓ નવાં નવાં સ્વરૂપ ધારણ કરીને સ્વાથ્ય ઉપર આક્રમણ કરી રહી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org