SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ પહોંચવાનો અથવા તો આત્માને પામવાનો માર્ગ જ અવરુદ્ધ કરી દે છે. શરીરની અસ્વસ્થતા મસ્તિષ્કને કુંઠિત કરી મૂકે છે. કુંઠિત મસ્તિષ્ક વડે ન તો કોઈ ચિંતન થશે અને ન તો કોઈ સત્પરુષાર્થ. તેથી શારીરિક સ્વાચ્ય અંગે વિચારવું અને જાગરૂક રહેવું આવશ્યક છે. સંયમની સાધના જરૂરી છે. મેડિકલ સાયન્સ શારીરિક સ્વાચ્ય વિશે વ્યાપક માહિતી આપે છે. સામાન્ય માનવી તેનો પૂરો લાભ લઈ શકતો નથી. જે લોકો ચિકિત્સા-વિજ્ઞાનની ઝીણામાં ઝીણી બાબતો સમજે છે-જાણે છે, તેઓ પણ શરીર પ્રત્યે પૂર્ણ જાગરૂક રહી શકતા નથી. આવા સંજોગોમાં કેટલીક નાની-નાની વાતો ઉપર ધ્યાન આપીને શરીરને સ્વસ્થ રાખી શકાય છે. ગીતામાં કહેવામાં આવ્યું છે કે યુક્તાહારવિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસી યુક્તસ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખહા યોગ એ જ વ્યક્તિનાં દુઃખોનો નાશ કરે છે, જેનો આહાર-વિહાર સંયમિત હોય છે, જેની ચેષ્ટાઓ સંયમિત હોય છે. અને જેનું શયન તથા જાગરણ પણ સંયમિત હોય છે. ભગવાન મહાવીરે આચરણના ક્ષેત્રમાં સંયમને અત્યંત મહત્ત્વ આપ્યું છે. દૈનિક વ્યવહારમાં સંયમનો પ્રયોગ કરવાનો ઉપદેશ આપતાં તેમણે કહ્યું જયં ચરે જયંચિટ્ટ, જયમાસે જયં સએ જય ભુજંતો ભાસંતો, પાવં કર્મોન બંઘઈ છે. જે સાધક સંયમપૂર્વક ચાલે છે, સંયમપૂર્વક બેસે છે, સંયમપૂર્વક સૂએ છે, સંયમપૂર્વક ભોજન કરે છે, અને સંયમપૂર્વક બોલે છે, તેને પાપકર્મનું બંધન થતું નથી. ખાણીપીણી, રહેણીકરણી, આલાપ-સંલાપ વગેરે ક્રિયાઓ સંયમપૂર્વક કરવી જોઈએ. જાગરૂકતાપૂર્વક કરવી જોઈએ. આમ કરવાથી આત્માનું મકાન-શરીર સ્વસ્થ રહે છે. નાના મોટા ઉપદ્રવોની મરામત થઈ શકે છે. મકાન ખંડેર થઈ જાય તો તેને તોડીને નવું બનાવવું પડે છે. એ જ રીતે શરીર જીર્ણ થયા પછી તેને સ્વસ્થ કરવાનું મુશ્કેલ બને છે. એ દષ્ટિએ શરી૨ અસ્વસ્થ બને જ નહીં તેની સાવધાની અનિવાર્ય છે. સ્વાશ્યના ત્રણ માર્ગ સ્વાથ્યની ચર્ચા સૌને ગમે છે. આ વિષયના અનુભવી લોકો પોતાના અનુભવોને શબ્દબદ્ધ કરે છે ત્યારે શ્રોતા અને વાચકોનો કડક સ્વસ્થ જીવનનો પ્રથમ ઘટક શારીરિક સ્વાસ્થતdeos Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005312
Book TitleNavu Darshan Navo Samaj
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy