SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ન સ્વસ્થ જીવનનો પ્રથમ ઘટક : શારીરિક સ્વાશ્ય આકાશ વ્યાપક તત્ત્વ છે. વ્યાપકતાનું પોતાનું મૂલ્ય છે, પરંતુ તેની ઉપયોગિતા સામે પ્રશ્નાર્થ ચિહ્ન લાગેલું રહે છે. આકાશ જડ-ચેતન તમામ પદાથોનો આધાર છે, પરંતુ તેને બાંધ્યા વગર માનવીની આવાસ-વ્યવસ્થા બની શકતી નથી. માનવી કલ્પનાશીલ પ્રાણી છે. તેણે આકાશને બાંધીને મકાન બનાવવાની કલ્પના કરી. વાસ્તુશિલ્પનો વિકાસ આ કલ્પનાની જ ફલશ્રુતિ છે. અધ્યાત્મની દષ્ટિએ આત્મા પરમ તત્ત્વ છે. અધ્યાત્મની શોધનું એક માત્ર કેન્દ્ર આત્મા છે. આત્મા સ્વ છે. આત્મા સિવાયના જેટલા પણ પદાર્થો છે તે સઘળા પર છે. શરીર તે પૈકીનું એક અંગ છે. શરીર અને આત્મા પરસ્પર સાથે મળેલાં છે. તેમનો સંબંધ કાળનાં અનંત પડ નીચે દબાયેલો છે. તેથી અસ્તિત્વની દષ્ટિએ સર્વથા ભિન્ન હોવા છતાં ઉપયોગિતાની દષ્ટિએ શરીર અને આત્મા એકાત્મ થઈને કામ કરે છે. આવાસની સુવિધા માટે મકાનનું નિમણિ જરૂરી છે. મકાનનું આયુષ્ય વધારવા માટે તેની દેખભાળ પણ જરૂરી છે. દેખભાળ અને યોગ્ય માવજતના અભાવે મકાન ખંડેર બની જાય છે. આવાસીય દષ્ટિએ ખંડેરનો કોઈ ઉપયોગ રહેતો નથી. ક્યારેક ક્યારેક તો તે ભૂતિયું બનીને અકારણ જ ભય પેદા કરે છે. તેથી એમ કહેવામાં આવે છે કે મકાનની સારસંભાળ ન લેવામાં આવે તો તેના નિમણિનું ઔચિત્ય નથી. આત્મા શરીરમાં બંદી છે. તેને શરીરથી મુક્ત કરવા માટે શરીરને સમજવું અને સાધવું આવશ્યક છે. શરીરને સાધવું એટલે તેની ઉપેક્ષા કરવી એમ નહીં. શરીરને સ્વસ્થ રાખવા માટે તેના પ્રત્યે જાગરૂકતા જરૂરી છે. કારણ કે અસ્વસ્થ શરીર આત્મા સુધી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005312
Book TitleNavu Darshan Navo Samaj
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy