________________
સાધનાનો પ્રથમ શરત છે સ્વપ્રબંધન, આત્મનિયંત્રણ. વશીકરણ મંત્ર એ જ વ્યક્તિ સિદ્ધ કરી શકે છે કે જેનું પોતાનાપણું નિયંત્રિત હોય. પોતાનો પ્રસાદ લેવાનો છે.
માનવી જેટલો ભટકે છે, તે પોતાના અસંયમને કારણે ભટકે છે, પ્રમાદને કારણે ભટકે છે, અસંયમ અને પ્રમાદ ભીતરમાં છે. તે જોઈ શકાતા નથી. ભગવાન મહાવીરે આ સંદર્ભમાં માનવીને સજાગ કરતાં કહ્યું
કિંમે પરો પાસઈ કિંવ અપ્પા, કિં વાહખલિયં નવિવજયામિા ઇચ્ચેવસઍઅશુપાસમાણો,
અણાગયે નો પડિબંધકજા. શું મારા પ્રમાદને કોઈ બીજી વ્યક્તિ જુએ છે? અથવા પોતાની ભૂલને હું સ્વયં જોઉં છું. એવી કઈ સ્કૂલના છે જેને હું છોડતો નથી? આ રીતે સમ્યક્ આત્મનિરિક્ષણ કરનાર અનાગતનો પ્રતિબંધ ન કરે, અસંયમમાં ન બંધાય, નિંદા ન કરે.
પ્રમાદની સંભાવનાનો અસ્વીકાર થઈ શકતો નથી, પરંતુ સ્વપ્રબંધનનું લક્ષ્ય હોય તો તે સંભાવનાથી જરાય ઊતરતું નથી. તે માટે માનવીએ બદલાવું પડશે. પરિવર્તનનો માર્ગ ભૂલોના શુદ્ધીકરણનો માર્ગ છે. કાં તો તમે બદલાવ કાં તો પ્રવાહમાં ભળી જાવ. બદલાવાની માનસિકતા રહેશે તો પોતાનું જીવન પોતાની મુઠ્ઠીમાં રહેશે. યુગના પ્રવાહમાં વહેતા રહેશો તો પોતાની લગામ પોતાના હાથમાંથી છૂટી જશે.
એક બાદશાહ હાથી ઉપર બેઠો હતો. મહાવત હાથીને ચલાવવા જતો હતો. બાદશાહે કહ્યું, “હાથીની લગામ મારા હાથમાં સોંપો.' મહાવતે કહ્યું, “જહાંપનાહાં હાથીને લગામ હોતી નથી.’ બાદશાહ બોલ્યો, “જેની લગામ મારા હાથમાં ન હોય તેની સવારી હું નહીં કરું.’ બાદશાહ નીચે ઊતરી ગયો. જે વ્યક્તિ પોતાના જીવનની લગામ પોતાના હાથમાં નથી રાખતી તે સારું જીવન કઈ રીતે જીવી શકે ? આસ્થાસૂત્ર
આત્મનિયંત્રણની વાત અમે આજે જ નથી કરી રહ્યા, વર્ષોથી કરી રહ્યા છીએ. દશકાઓથી કહી રહ્યા છીએ. પરંતુ અમારી વાત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org