________________
વ્રતોનું પાલન કરે, જો એ પણ શક્ય ન હોય તો કેટલાંક વ્રતોની સાધના કરવી જોઈએ. આ ધાર્મિક દૃષ્ટિકોણ છે. લૌકિક દૃષ્ટિએ પણ માનવી લક્ષ્યનું નિર્ધારણ કરે છે. કોઈ વ્યક્તિ ઔદ્યોગિક ક્ષેત્રે શિખર પર પહોંચવા ચાહે છે, કોઈ શિક્ષક બનાવા ઇચ્છે છે, કોઈક મજૂર બનીને પોતાના જીવનને નવી દિશા આપવા માગે છે. બીજું કાંઈ નહીં તો એક સગૃહસ્થ બનવાનો સંકલ્પ પ્રત્યેક વ્યક્તિ માટે શક્ય છે.
નાનો કે મોટો કોઈ પણ સંકલ્પ હોય, તેની સંપૂર્તિ માટે સ્વપ્રબંધન આવશ્યક છે. સ્વનિયંત્રણ આવશ્યક છે, તેના અભાવે સફ્ળતાની કલ્પના થઈ શકતી નથી.
મંત્રસાધનાની પ્રથમ શરત
માનવી ખૂબ કામ કરે છે. તેની પાસે કાર્યોની લાંબી યાદી રહે છે. તેમાં કેટલાંક કામ સરળ હોય છે અને કેટલાંક કામ કઠિન. સરળ કામ કોઈપણ વ્યક્તિ કરી શકે છે. કઠિન કામ કરવામાં તકલીફ પડે છે. ક્યારેક ક્યારેક સરળ કામને પણ મુશ્કેલ માની લેવામાં આવે છે. એમાં દૃષ્ટિકોણનો તફાવત છે. ઉદાહરણ તરીકે સ્વપ્રબંધનને જ લઈ શકાય. આ કામ સૌથી વધુ સરળ હોવું જોઈતું હતું. પોતાનું પ્રબંધન, પોતાનું નિયંત્રણ કઠિન શી રીતે હોઈ શકે ? અને બીજા કોઈ ઉ૫૨ માનવીનું નિયંત્રણ ચાલે કે ન ચાલે, તે પોતાને તો પોતાની ઇચ્છાનુસાર વાળી શકે છે. પરંતુ આજે આ જ કામ સૌથી મુશ્કેલ બની ગયું છે.
સિદ્ધ પુરુષની પાસે આવીને એક વ્યક્તિએ કહ્યું, “મેં સાંભળ્યું છે કે આપની પાસે વશીકરણ મંત્ર છે. હું તે મંત્રની સાધના કરવા ઝંખું છું.' સિદ્ધ પુરુષે જિજ્ઞાસા વ્યક્ત કરી, મંત્રની સાધના કરીને તમે શું કરશો ?” સાધના-ઇચ્છુક વ્યક્તિએ કહ્યું, ‘હું સમગ્ર સંસારને વશમાં કરવા ઇચ્છું છું.' સિદ્ધ પુરુષે પૂછ્યું, ‘તમારો પરિવાર તમારા વશમાં છે ખરો ?” તેણે કહ્યું, “પરિવારના લોકો મારી વાત માનતા નથી.' સિદ્ધ પુરુષે પૂછ્યું, ‘તમારા પુત્રો અને પત્ની ઉપર તમારું અનુશાસન છે ખરું ?' તેણે ક્ષોભપૂર્વક કહ્યું, “આજના જમાનામાં અનુશાસનને વળી કોણ માને છે ?” સિદ્ધ પુરુષે અંતિમ પ્રશ્ન પૂછ્યો, પોતાની જાત ઉપર તમારું નિયંત્રણ છે ખરું ?” તેણે કહ્યું, “મારી પાસે નિયંત્રણની શક્તિ નથી તેથી હું આપની પાસે મંત્ર શીખવા આવ્યો છું.' સિદ્ધ પુરુષે કહ્યું, મારી પાસે એવો કોઈ મંત્ર નથી.' મંત્ર
સમયની સાધના અને સ્વપ્રબંધન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org