SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ અનંત સમય રહ્યા પછી પ્રાણી તે ખાઈમાંથી બહાર નીકળે છે. ત્રણ ખાઈઓ વિકલેન્દ્રિય જીવનિકાઓની છે. તેમાં પણ લાંબા સમય સુધી રહેવું પડે છે. નવમી ખાઈ તિર્યંચ પંચેન્દ્રિયની છે. આ ખાઈને પાર કર્યા પછી દુર્લભ માનવજીવન પ્રાપ્ત થાય છે. જો આ જીવનને એમ જ વેડફી દઈએ તો પશ્ચાત્તાપ સિવાય બીજું કશું જ મળશે નહીં. તેથી સમયનું મૂલ્યાંકન કરીને માનવજીવનને સાર્થક બનાવવું જરૂરી છે. સમયનું માપન મેં ઉત્તરાધ્યયન આગમ વાંચ્યું. ગૌતમને સંબોધન કરીને કહેવામાં આવેલાં અધ્યયન વાંચ્યાં. સમયના મૂલ્યને જાણ્યું અને બીજા લોકોને તે સમજાવવાનો પ્રયત્ન કર્યો. તે દૃષ્ટિએ મેં એક ગીત લખ્યું. સૂક્ત “ખણું જાણાહિ” ન ભૂલેં, અભિનવ આયામોં કો છૂ લેં, “તુલસી” કે ઉદ્ગાર, સમય કા અંકન હો જાગે શુભ સંસ્કાર, સમય કા અંકન હો જે લોકો ક્ષણનું મહત્ત્વ જાણે છે. તેઓ પોતાના જીવનમાં નવી ક્ષિતિજો ખોલી શકે છે. હું આ વાત મારા અનુભવના આધારે કહું છું. શુભ સંસ્કાર જગાડવા માટે સમયનું માપન આવશ્યક સમજું છું. સમયનું માપન એ જ વ્યક્તિ કરી શકે છે કે જે તેનું મૂલ્ય જાણે છેસમજે છે. સમજણના અભાવે માપન કે ઉપયોગની વાત તો ઠીક, તેનો દુરુપયોગ કરી શકાય છે. બાળપણનું કામ ઘડપણમાં નહીં લૌકિક અને લોકોત્તર બંને સંદર્ભોમાં સમયનો ઉપયોગ ન કરનાર બરબાદ થાય છે અને તેનો યોગ્ય ઉપયોગ કરનાર સફળ થાય છે. આ દૃષ્ટિએ સમયનો હિસાબ કિતાબ રાખવો આવશ્યક છે. આ બોધ બાળપણમાં મળી જાય તો જીવનમાં સંભાવનાઓની નવી દિશાઓ ખૂલી શકે છે. હું ઘણી વખત વિચાર કરું છું કે બાલ્યવય અને કિશો૨વયમાં સમયનું મૂલ્ય સમજી શક્યો હોત તો આજે ન જાણે ક્યાંથી ક્યાં પહોંચી ગયો હોત ? ક્યારેક ક્યારેક મનમાં એવો પણ વિચાર આવે છે કે મારું બાળપણ ફરીથી પાછું મળે. પરંતુ તે હવે પાછું મળી શકે તેમ નથી. જો કે મેં મારા બાળપણને એમ જ વેડફ્યુ નવું દર્શન નનો સમા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005312
Book TitleNavu Darshan Navo Samaj
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy