SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ નિરાશાના નિસાસા છાંટવાથી શો લાભ ? અમે સૌ ત્યારે બાળકો હતા. અમારી ઉંમર પાંચ-સાત વર્ષની હશે. અમે સાંભળ્યું કે માનવી ચંદ્રમા ઉપર પહોંચી જશે, ત્યાં નગર વસાવશે અને ત્યાં જ રહેશે. તે વખતે અમે વિજ્ઞાનનો કક્કો પણ જાણતા નહોતા, પરંતુ આ વાત ઉપર અમે વૈજ્ઞાનિકોની ઠેકડી ઉડાડી. અમને તેમની વાતો ગપ્પાથી વિશેષ કાંઈ જ ન લાગી. અમારા દ્વારા ઠેકડી ઉડાડવાથી શું થતું ? વૈજ્ઞાનિકો પોતાના પ્રયોગો કરતા રહ્યા, આગળ વધતા રહ્યા અને એક દિવસ તેઓ ચંદ્રમા ઉપર પહોંચી ગયા. જે કામ સૌની સામે થયું હોય તેનો અસ્વીકાર શી રીતે થઈ શકે ? આવા સંજોગો જોઈને મનને એમ લાગે છે કે આજે જે અસંભવિત લાગે છે તે આવતી કાલે સંભવિત બની શકે છે. જ્યારે માણસ નવું સંશોધન કરી શકે છે. અંતરિક્ષ યાનમાં યાત્રા કરી શકે છે. સમગ્ર બ્રહ્માંડમાં વિચરી શકે છે, ચંદ્રમા વગેરે ગ્રહો નક્ષત્રો ઉપર ઊતરી શકે છે. ત્યાંની સ્થિતિનું અધ્યયન કરી શકે છે. ત્યારે તે શું ન કરી શકે ? કોઈક કામ મુશ્કેલ હોઈ શકે છે. પરંતુ તે કામ કર્યા પછી શું મુશ્કેલ અને શું સરળ ? કામ કર્યા પહેલાં માનવી કોઈપણ કામને મુશ્કેલ સમજીને બેસી જાય તો તે કંઈ જ કામ નહીં કરી શકે. મારે મારું કામ કરવું જ છે એવા દૃઢ નિશ્ચિય સાથે કાર્યનો આરંભ કરી દેવામાં આવે તો પછી કશું જ મુશ્કેલ રહેતું નથી. એમ કહેવામાં આવે છે કે આજે કોઈને કેવળજ્ઞાન થઈ શકતું નથી, મનઃપર્યવજ્ઞાન થઈ શકતું નથી. પૂર્વોનું જ્ઞાન થઈ શક્યું નથી. ક્ષપકશ્રેણી પામી શકાતી નથી. શા માટે ? મારા મત મુજબ આમ માની લેવું એ જ સૌથી મોટી દુર્બળતા છે. વર્તમાનમાં એટલી ઉત્કૃષ્ટ સાધના કરવામાં આવે તો આ ઉપલબ્ધિઓને કોણ રોકી શકે ? પ્રત્યેક ક્ષેત્રમાં ઉત્સર્ગ-માર્ગની જેમ અપવાદ માર્ગ પણ હોય છે, તેનો લાભ ત્યારે જ મળી શકે છે કે જ્યારે નિરાશા નિસાસા છાંટવામાં આવે છે. એક સફળ પ્રયોગ હું પ્રયોગમાં વિશ્વાસ રાખું છું. મેં મારા જીવનમાં અનેક પ્રયોગો કર્યા છે. અહીં હું એક પ્રયોગની ચર્ચા કરવા ઇચ્છું છું. ઈ.સ. ૧૯૯૩માં તનાવથી મુકિતય છે..! Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005312
Book TitleNavu Darshan Navo Samaj
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy