________________
પણ કોઈ વ્યક્તિ તનાવમુક્તિ મેળવવા ઈચ્છે તો તેણે ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ
બ્રિટનના પ્રસિદ્ધ હાસ્ય અભિનેતા પ્રેમાલ્હી એક વખત એક ડોક્ટર પાસે ગયા. તેને અવસાદની બીમારી હતી. ડોક્ટરે પ્રાથમિક તપાસ અને પૂછપરછ દરમ્યાન જાણ્યું કે તેનો દર્દી શરીરથી નહીં પરંતુ મનથી બીમાર છે. તેના ઉપચાર માટે તેને દવાની નહીં પરંતુ ખુલ્લા વાતાવરણની જરૂર છે. કંઈક વિચારીને ડોક્ટરે કહ્યું, “જો તમે સ્વસ્થ થવા ઈચ્છતા હો તો પ્રેમાલ્હી પાસે પહોંચી જાવ. એક અઠવાડિયા સુધી તેની સાથે રહેવાથી તમે સ્વસ્થ બની જશો.' વાત સાંભળીને પ્રેમાલ્હી ખડખડાટ હસી પડ્યો. ડોક્ટરે તેને હસવાનું કારણ પૂછ્યું તો એણે કહ્યું ડોક્ટર સાહેબ, હું પોતે જ પ્રેમાડી છું. હું જેની પાસે જઈને રહું?' નાનો ઉપર ગાય છે.
તનાવમુક્તિનો એક સીધોસાદો ઉપાય છે- ભેદવિજ્ઞાન. આત્મા અને શરીરની ભિન્નતાનો બોજ તથા અનુભવ જે વ્યક્તિને થઈ જાય તે ક્યારેય તનાવમાં રહેતી નથી. તેને માટે “આત્મા અન્યઃ પુદ્ગલથ્ય અન્યઆ વાક્યનું આલંબન લઈને ઊંડી અનુપ્રેક્ષામાં જવાની જરૂર છે. જ્ઞાનપ્રાપ્તિનો વિશિષ્ટ ક્ષયોપશમ ન થવાથી માણ-તુષની ભિન્નતાનું ચિંતન કરનાર મુનિ ગુણસ્થાનોની શ્રેણી ઉપર આરોહણ કરતાં કરતાં કેવળજ્ઞાનના શિખર સુધી પહોંચી જાય છે, તો પછી તે તનાવથી મુક્ત કેમ નથી થઈ શકતો ? આત્મા અને શરીરની ભિન્નતાનું અનુચિંતન કરવા માટે નિમ્નલિખિત દુહાની અનુપ્રેક્ષા ખૂબ ઉપયોગી બની શકે તેમ છે.
આત્મા બિનશરીર બિનહૈ, એક નહીં સંજોના હેમિલ્ટીસેમિફાજુલા, પર આખિર સોના સોના
જે વ્યક્તિ ખાંડ ખાય છે તેને મીઠાશનો અનુભવ થાય છે. ધ્યાન-અનુપ્રેક્ષા વગેરે પ્રયોગોમાં ન જનાર વ્યક્તિ પ્રશ્ન પૂછે છે, “શું એ સાચું છે કે તનાવથી છૂટકારો મેળવી શકાય છે ?' હું તેમને કેવી રીતે પ્રતીતિ કરીવી શકું ? માષ-તુષની ભિન્નતાના ચિંતન માત્રથી શ્રેણીનું આરોહણ થઈ શકે છે. આ વાત તેમને કેવી રીતે સમજાવું ? હું તો માત્ર એટલું જ કહી શકું કે આજના યુગમાં કાંઈ જ અશક્ય નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org