________________
નહોતું. નવમા દશકની ઉંમર સુધી પણ હું તનાવ વિશે ખૂબ ઓછું જાણું છું. તેને મારી સાધના સમજું, પ્રકૃતિનું વરદાન માનું કે પછી ગુરુઓની કૃપા કહ્યું- વાસ્તવિકતા તો એટલી જ છે કે હું તનાવને ઓળખતો નથી.
એક ધર્મસંઘની જવાબદારી સંભાળતી વખતે મારી સામે વિવિધ પ્રકારની પરિસ્થિતિઓ આવે છે. પરિસ્થિતિની વિકટતા એક વખત મને વિચલિત કરી શકે છે, પરંતુ હું તરત સાવધાન બની જાઉં છું. આ જ કારણે હું દરેક વખતે માનસિક દષ્ટિથી સ્વસ્થ અને સંતુલિત રહું છું. આ સંદર્ભમાં પોતાના અનુભવોનો ઉપયોગ કરીને હું કહી શકું છું કે તનાવ એને જ થાય છે જેને પોતાના ઉપર અનુશાસન નથી હોતું. તનાવ એમને જ સતાવે છે જેમનો પોતાની વૃત્તિઓ ઉપર કાબૂ નથી હોતો. તનાવની સમસ્યા માત્ર એવા લોકોને જ પજવે છે જેઓ સ્વતંત્ર નથી, યંત્ર છે. તેમના યાંત્રિક જીવનની ઓળખ છે બીજાઓનાં મૂલ્યાંકનો ઉપર પોતાનું માપન. કોઈકના કહેવા માત્રથી પોતાના કાર્યને સારું કે ખરાબ માનનાર વ્યક્તિ ક્યારેય તટસ્થ ચિંતન કરી શકતી નથી. હું પોતે ગ્રેમાલી છું.
કેટલીક વ્યક્તિઓ બીમારીની અવસ્થામાં તનાવ વેઠે છે. તેમની સામે વ્યવસાય, સભા-સંસ્થાનું કામ, સામાજિક તેમજ પારિવારિક જવાબદારીઓ વગેરેનો ભાર ઊભો થઈ જાય છે. શારીરિક દુર્બળતાને કારણે તે ભારને ઉઠાવી શકાતો નથી. પરિણામે માનસિક દષ્ટિએ તે તૂટવા લાગે છે. કેટલાક લોકો કેન્સર વગેરે અસાદ્ય રોગોના આક્રમણથી થાકીને નિરાશ થઈ જાય છે. એવી સ્થિતિ તેમને તનાવ અથવા ડિપ્રેશનમાં લઈ જાય છે. પોતાનું રક્ષણ અથવા પોતાની સ્વસ્થતા માટે તેઓ જે ચિકિત્સક પાસે જાય છે, તે પોતે જ તનાવથી છલોછલ હોય છે. એક રોગી વ્યક્તિ બીજા રોગીની ચિકિત્સા કેવી રીતે કરી શકે?
તનાવના સંદર્ભમાં ગંભીરતાપૂર્વક વિચાર કરીએ તો જણાય છે કે ચિકિત્સક પાસે તેની પોતાની કોઈ દવા નથી હોતી. તનાવની જો કોઈ ચોક્કસ, અમોઘ દવા હોય તો તે છે મેડિટેશન-ધ્યાન. ધ્યાનનો અભ્યાસ કરીને અનેક વ્યક્તિઓએ તનાવથી મુક્તિ મેળવી છે. આજે
કડકડતનાવથી મુક્તિ શક્ય છે
પse peese
s
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org