________________
સંજોગોમાં વિદ્યાર્થી તનાવ અનુભવે છે
યુવાવસ્થા જીવનની સર્વાધિક કાર્યકારી અવસ્થા હોય છે. તેમાં વ્યક્તિ ખપી જાય છે, તપી જાય છે, અને કંઈક કરી શકે છે. પરંતુ પરિવારની નાનકડી અવ્યવસ્થા તેને તનાવમાં લઈ જાય છે. વ્યવસ્થામાં થોડીઘણી પણ ચડ-ઊતર થાય તો તેના માટે તે અસહ્ય બની જાય છે. શારીરિક અસ્વસ્થતાની સ્થિતિ તેને બેચેન બનાવી મૂકે છે. પરિણામે વ્યક્તિ તનાવોથી ઘેરાઈ જાય છે. તનાવથી મુક્ત થવા માટે તે જુદા જુદા નશાની શરણાગતિ લે છે. એક વખત તેને એવો અનુભવ થાય છે કે જાણે તેનું સમગ્ર ટેન્શન દૂર થઈ ગયું, પરંતુ નશાનો પ્રભાવ ક્ષીણ થતાં જ તે વધુ તનાવગ્રસ્ત બની જાય છે. જેટલો તનાવ વધુ તેટલો વધુ નશો. એક પ્રકારનું કુચક્ર ફરતું રહે છે, જે વ્યક્તિને આત્મહત્યા અથવા અવસાદના કિનારે પહોંચાડી દે છે.
વૃદ્ધાવસ્થામાં વ્યક્તિ પોતાની જવાબદારીઓથી નિશ્ચિંત બની જાય છે. તેના જીવનમાં તનાવની પરિસ્થિતિ ક્યાંથી આવે ? પરંતુ વર્તમાન જીવનશૈલીમાં ઘડપણ જેટલું દયનીય બની રહ્યું છે તેટલી કદાચ અન્ય કોઈ અવસ્થા દયનીય નથી હોતી. પાશ્ચાત્ય જીવનશૈલીની તર્જ ઉ૫૨ આજનો યુવાન સ્વતંત્ર રહેવા ઇચ્છે છે. માતાપિતા પ્રત્યેનાં પોતાનાં કર્તવ્યોની વિસ્મૃતિ કરીને તે તેમને બોજરૂપ માનવા લાગ્યો છે. પોતાના જ ઘરમાં તે કાં તો મહેમાનની જેમ રહે છે અથવા તો ઉપેક્ષાના ડંખ સહન કરે છે. આ જ કારણે સમાજમાં વૃદ્ધાશ્રમો, વૃદ્ધ સેવા કેન્દ્રો, અથવા સમાધિ કેન્દ્રોની સ્થાપના કરવાનું ચિંતન પ્રબળ,બનતું જાય છે.
તનાવ શા માટે થાય છે ?
તનાવને એક બીમારી માની લેવાથી તેની ચિકિત્સાની વાત સમજાય છે. હોમિયોપેથિક ચિકિત્સાપદ્ધતિ લક્ષણના આધારે ચાલે છે. સાચું લક્ષણ પક્ડમાં આવી જાય તો દવાનાં બે-ચાર ટીંપાં અથવા તો એકાદ પડીકી જ રોગીને આશ્વસ્ત કરી દે છે. તનાવ પણ કારણ વગર થતો નથી. તેનાં સાચાં કારણોની તપાસ કરવાથી તેનું નિવા૨ણ શક્ય બને છે. મારે જો તેનાં કારણોની શોધ કરવાની હોય તો હું મારી પોતાની અનુભૂતિના આધારે વિશેષ જાણકારી આપી શકું તેમ નથી. બાળપણમાં મેં ક્યારેય તનાવનું નામ પણ સાંભળ્યું
નવું દર્શન નવો સમાજ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org