SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ તાલાલા તનાવથી મુક્તિ વર્તમાન યુગની સમસ્યાઓમાં એક ગંભીર સમસ્યા છે તનાવ. તનાવનો સીધોસાદો અર્થ છે તાણ-ખેંચાણ. તે શારીરિક, માનસિક અને ભાવાત્મક ત્રણ કક્ષાએ થાય છે. સામર્થ્ય કરતાં વધુ પડતો શ્રમ કરવામાં આવે તો શારીરિક તનાવ પેદા થાય છે. એક હદ કરતાં વધુ વિચાર કરવાથી માનસિક તનાવ પેદા થાય છે. સંવેગોના અસંતુલનમાંથી ભાવાત્મક તનાવ પેદા થાય છે. તનાવ કોઈપણ કક્ષાનો હોય. તેનાથી વ્યક્તિ અસહજ અને અસ્વસ્થ બની જાય છે. તનાવની સ્થિતિમાં ન તો ખાવાપીવાનું ગમે છે, ન તો કામ કરવામાં મન લાગે છે કે ન તો સાચી રીતે ચિંતન થઈ શકે છે. તેથી તેને એક કષ્ટસાધ્ય બીમારી તરીકે ઓળખવામાં આવે છે. પ્રત્યેક અવસ્થાએ તનાવ થાય છે. તનાવ માટે અંગ્રેજીમાં ટેન્શન શબ્દનો પ્રયોગ થાય છે. પ્રાચીનકાળમાં ટેન્શન થતું હતું કે નહીં તે વિષે ચોક્કસપણે નિર્ણય કરવાનું મુશ્કેલ છે. આજના યુગમાં કોઈપણ વર્ગ અને અવસ્થાના લોકોમાં ટેન્શન જોવા મળે છે. વિદ્યાર્થીજીવન તો દરેક રીતે નિશ્ચિતતાનો સમય હોય છે, છતાં તે તનાવમુક્ત રહી શકતું નથી. નાનાં બાળકોમાં તનાવ કેમ હોય છે ? આ પ્રશ્ન વિશે વિચાર કરતાં જે સ્થિતિ સામે આવે છે તેનો સંબંધ માનસિક પ્રતિકૂળતા સાથે છે. ઉચિત-અનુચિત કોઈ પણ પ્રકારની માંગ હોય, તેની પૂર્તિ થાય તો ઠીક નહિતર તનાવની સ્થિતિ પેદા થશે. ભણવાનો સમય રમત-ગમત અને ટીવીમાં પસાર થઈ જાય છે. પરીક્ષામાં પેપર બરાબર હોતાં નથી, પરીક્ષાનું પરિણામ અપેક્ષા કરતા પ્રતિકૂળ આવે છે. વગેરે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005312
Book TitleNavu Darshan Navo Samaj
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy