________________
વ્યક્તિત્વનું નિમણિ કે વિકાસ કેવી રીતે થશે ? એવું સંશયાત્મક ચિંતન અને વચન આસ્થાને ખંડિત કરે છે. અખંડ આસ્થા સહિત પ્રાણાતિપાત વગેરે અઢાર નિષેધાત્મક ભાવોથી બચવાનો સંકલ્પ વ્યક્તિત્વના નિર્માણની દિશામાં સાચું પ્રસ્થાન છે.
અનેક વખત એવું જોવા મળે છે કે વ્યક્તિ પોતાની દુર્બળતાથી, ભયથી, મરે છે. તેને મારનાર બીજી કોઈ વ્યક્તિ નથી હોતી. એક વ્યક્તિ દોડી રહી હતી. તેની પાછળ એક કૂતરો દોડવા લાગ્યો. વ્યક્તિ ગભરાઈ ગઈ. તે ઝડપથી દોડવા લાગી. કૂતરાની ગતિમાં પણ ઝડપ આવી. દોડનાર વ્યક્તિએ એમ સમજી લીધું કે આજે આ કૂતરો મને જરૂર કરાશે. તેનાથી બચવા માટે તેણે દોડ સ્પર્ધાની જેમ દોડવાનું શરૂ કર્યું.
આગળ વ્યક્તિ અને પાછળ કુતરો. રેસ ચાલી રહી હતી. તે દરમ્યાન અવાજ સંભળાયો થોભી જાવ. તે વ્યક્તિ થોભી ગઈ. કૂતરો પણ થોભી ગયો. અને તેને સૂંઘીને ચાલ્યો ગયો. રોકનાર વ્યક્તિ અનુભવી હતી. તેણે કહ્યું, “મૂર્ખ ! કૂતરો તને કરડવા માટે દોડતો નહોતો. તારી એડ્રીનલ ગ્રંથિના રાવની ગંધ કૂતરાને ખેંચી રહી હતી. ભયજનક સંજોગોમાં એડ્રીનલનો સ્રાવ વધુ થાય છે. અહીં કોઈ બીજો માણસ છે તે જ મને મદદ કરશે. એવા આશ્વાસનથી તારો ભય ઓછો થયો. ગ્રંથિનો સ્રાવ બંધ થયો અને કૂતરો પાછો વળ્યો. “ભીતો ભૂતેહિ ધિધ્વઈ - ડરપોક વ્યક્તિને ભૂત પકડે છે. મહાવીરની આ અનુભવવાણી એક વૈજ્ઞાનિક નિષ્કર્ષની સંવાદી બની રહી છે.
ભાવપરિવર્તન અથવા ભાવશુદ્ધીકરણનું એક અમોઘ સાધન છે પ્રેક્ષાધ્યાન. ધ્યાન એકાગ્રતાની નિષ્પત્તિ છે. જે વ્યક્તિનું ધ્યાન પોતાની જાતને જોવામાં એકાગ્ર હોય છે, તે પોતાને પામી લે છે. આત્મદર્શનનું આ સૂત્ર વ્યક્તિત્વના નિર્માણનું પ્રથમ સોપાન છે.
ધ્યાનના વિવિધ પ્રયોગો દ્વારા વ્યક્તિત્વનું નિમણિ શક્ય છે. એવા વિશ્વાસની ભૂમિમાં પ્રેક્ષાધ્યાનનાં બીજ વાવીને વ્યક્તિત્વવિકાસનું ફળ પ્રાપ્ત કરીએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org