________________
આત્મવિકાસનું લક્ષ્ય નથી. ઊંચા લક્ષ્યના અભાવે તેમની તપસ્યા મોક્ષની સાધક ભલેને ન હોય, પરંતુ પોતાના ક્ષેત્રમાં કુશળતા દ્વારા થતી પ્રગતિને કોણ રોકી શકે છે? - જરૂરી છે સમન્વિત વિકાસ
આજકાલ વ્યક્તિત્વવિકાસ માટે જાતજાતના કોર્સ કરવામાં આવે છે. મહાનગરોમાં પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે ખાસ વર્ગો ચાલે છે. તે યુવક યુવતીઓને આકર્ષિત કરનારી બાબત છે. પરંતુ મોટે ભાગે જોવા એવું મળે છે કે તે બાબત પણ બહિર્લક્ષી વધુ છે, આત્મલક્ષી ઓછી છે. અંતરંગ અને બહિરંગ વ્યક્તિત્વ સાથે સાથે વિકસિત થાય તો સત્ય, શિવ અને સૌંદર્યની સમન્વિતી થઈ જાય છે. અન્યથા એકાંગી વ્યક્તિત્વનો વિકાસ અધૂરાપણાનો ત્રાસ આપતો રહે છે.
સત્ય સ્વયં સુંદર હોય છે. પરંતુ તેને પણ યોગ્ય પરિધાનની અપેક્ષા રહે છે. નગ્ન સત્ય વ્યવહારના મંચ ઉપર શોભનીય બનતું નથી. શિવ એટલે કલ્યાણ. વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર માટે કલ્યાણકારી યોજનાઓ સાંભળવા અને જોવામાં ભારે આકર્ષક લાગે છે. પરંતુ તેમની સાથે સત્ય અને સૌંદર્યનો યોગ ન થાય તો તે થોડાક જ સમયમાં પોતાની વ્યર્થતા પ્રમાણિત કરી દે છે. સૌંદર્ય માનવીના મનને બાંધનારું તત્ત્વ છે. પ્રકૃતિ હોય કે પુરુષ તેમાં સૌંદર્યનો જેટલો અધિક નિખાર હોય છે, તે એટલો જ પ્રભાવિત કરે છે. પરંતુ સત્ય અને શિવ વિનાનું સૌંદર્ય માત્ર આંખો માટે સુખદ બની શકે છે. જીવન માટે તેનો કોઈ ઉપયોગ રહેતો નથી. ભાવશુદ્ધીકરણ અને ધ્યાન
વ્યક્તિત્વ વિકાસના અનેક ઉપક્રમોનું પોતાનું સ્થાન હોય છે. તેમાં એક વિશિષ્ટ ઉપક્રમ ભાવોના શુદ્ધીકરણનો છે. ક્રોધ, અભિમાન, માયા, લોભ, રાગ, દ્વેષ વગેરે નિષેધાત્મક ભાવ વ્યક્તિત્વને વિવાદાસ્પદ બનાવે છે. ક્ષમા, મૃદુતા, સરળતા, અનાસક્તિ, તટસ્થતા વગેરે વિધાયક ભાવ વ્યક્તિત્વને પ્રભાવી બનાવે છે. હું એવી અનેક વ્યક્તિઓને જાણું છું જેમનું કોઈ વિશિષ્ટ કતૃત્વ ન હોવા છતાં તેઓ અત્યંત લોકપ્રિય બની ગઈ હોય. ભૂતકાળમાં તેમનો વિરોધ કરનાર લોકો તેમના પક્ષમાં જોડાઈ ગયા હોય. તેનું કારણ તેમના ભાવોનું શુદ્ધીકરણ હતું. અભ્યાસ દ્વારા કોઈ પણ વ્યક્તિ ભાવશુદ્ધીકરણની દિશામાં આગળ વધી શકે છે. રહe seaઝરાટક્કર મહામક્તિત્વવિકાસના ઘટકો વિરક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org