________________
જાય છે. તેનો સ્વભાવ ચિડિયો બની જાય છે. તે વાતેવાતે અધીર થઈ ઊઠે છે. આવી સ્થિતિથી બચવા માટે મોહકમને હળવું કરવું અનિવાર્ય છે. વ્યક્તિત્વનિર્માણની સાધના
વ્યક્તિત્વના નિમણિની પ્રક્રિયા ઢગલા ઢીંગલીના નિર્માણની પ્રક્રિયા નથી. વ્યક્તિત્વને મનમાન્યું રૂપ આપી શકાય, તે માટે બહુ ભારે તપસ્યાની અપેક્ષા રહે છે. તપસ્યા વગર કોઈ પણ મહત્ત્વપૂર્ણ કાર્ય સફળ થઈ શકતું નથી. ધાર્મિક અને આધ્યાત્મિક અનુષ્ઠાનોની સફળતા જ તપસ્યા ઉપર નિર્ભર હોય એવી વાત નથી. કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટતા પ્રાપ્ત કરવા માટે તપસ્યાની સહાય લેવી પડશે.
એક વિદ્યાર્થી ભણે છે. વિદ્યાની વિશિષ્ટ શાખાઓમાં દક્ષતા પ્રાપ્ત કરવા માટે વિદ્યાર્થીએ તપસ્વી જીવન જીવવું પડે છે. સામાન્ય જ્ઞાન પ્રાપ્ત કરવું અથવા ડિગ્રી માટે પ્રમાણપત્ર પ્રાપ્ત કરવું એ કોઈ મોટી વાત નથી. ગંભીર જ્ઞાન અર્જિત કરવાની યોગ્યતાના સંદર્ભમાં જેન આગમ ઉત્તરાધ્યનમાં કહેવામાં આવ્યું છે કે
વસે ગુરુકુલેનિર્ચ, જોગવ ઉવહાણવી પિયંકરે પિયંવાઈ, સેસિલ્બલદ્ધ મપરિહઈ.
જે વ્યક્તિ ગુરુકુળમાં રહે છે, સમાધિમાં રહે છે- મન, વચન અને કાયયોગને સાધી લે છે, તપસ્યા કરે છે, સૌને પ્રિય હોય તેવું કરે છે, અને સૌની સાથે પ્રિય ભાષામાં વાત કરે છે તે શિક્ષણ મેળવવાની અધિકારી છે.
કલાકા૨ કલાસાધના કરે છે. તેમાં કેટલા બધા એકાગ્ર થવું પડે છે ! એકાગ્રતા વગર કોઈ કલા સિદ્ધ થઈ શકતી નથી. નૃત્ય કલા હોય કે સંગીત કલા, ચિત્ર કલા હોય કે લિપ કલા, તપસ્યા કરનાર જ કલામાં નિષ્ણાત બને છે. કલા પણ વ્યક્તિત્વનું એક અંગ છે. જીવનના પ્રત્યેક વ્યવહારમાં કલાનો પ્રવેશ થાય તો સહજ રૂપે વ્યક્તિત્વ નિખરી શકે છે.
ખેડૂત, મજૂર, વ્યાપારી, વૈજ્ઞાનિક વગેરેની સફળતાની પાછળ તેની તપસ્યાનો જ હાથ રહેલો હોય છે. ઠંડી- ગરમી સહન કરવી, બળબળતા તડકામાં કામ કરવું, રાતદિવસ ઉદ્યમ કરવો, ભૂખ-તરસ વેઠવાં, આ બધું એક રીતે તપસ્યા નથી તો બીજું શું છે? તેમની સામે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org