________________
વ્યક્તિત્વવિકાસના ament
પ્રત્યેક વ્યક્તિનું પોતાનું આગવું વ્યક્તિત્વ હોય છે. તેનાં બે રૂપ હોય છે- સહજ અને નિર્મિત. કેટલીક વ્યક્તિ એવી હોય છે કે જે નૈસર્ગિક વ્યક્તિત્વથી સંપન્ન હોય છે. તેનાં પણ બે રૂપ છે - અંતરંગ અને બાહ્ય. બાહ્ય વ્યક્તિત્વનો સંબંધ શારીરિક સંપદા અને રહેણીકરણીના સ્તર સાથે છે. સુંદર આકૃતિ, સુગઠિત શરીર, સમુચિત કદ-કાઠું, સક્ષમ ઇન્દ્રિયો, વ્યવસ્થિત વેશભૂષા વગેરે બાહ્ય વ્યક્તિત્વનાં અંગ છે. વિનમ્રતા, ઉદારતા, સહિષ્ણુતા, ધૃતિ, કરુણા, અનુશાસન વગેરે તત્ત્વો વ્યક્તિના અંતરંગ વ્યક્તિત્વની વ્યાખ્યા વ્યક્ત કરે છે.
નિમિત વ્યક્તિત્વની વ્યાખ્યા બાહ્ય વ્યક્તિત્વની અપેક્ષાએ અંતરંગ વ્યક્તિત્વ સાથે વિશેષ સંકળાયેલી છે. આ ખ્યાલ અતિપ્રાચીન છે. હમણાંના થોડાક દશકાઓમાં બાહ્ય પરિવર્તનના નિમણિ તરફ પણ પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મોટાં શહેરોમાં બ્યુટીપાર્લરોની વધતી જતી સંખ્યા એ બતાવે છે કે આ યુગના લોકો બાહ્ય સૌંદર્ય અથવા વ્યક્તિત્વ ઉપર કેટલું બધું ધ્યાન આપે છે. પ્લાસ્ટિક સર્જરીનો પ્રયોગ પણ મુખ્ય રૂપે તો બાહ્ય વ્યક્તિત્વને શોભાવવા માટે જ કરવામાં આવતો હોય છે.
એક વખત સ્કોટહોમના એક મોટા ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં એક મોટું દર્પણ લટકાવેલું હતું. તેની ઉપર કેમેરાની આંખ હતી. દિવસ દરમ્યાન અનેક સ્ત્રી-પુરુષો તે દર્પણની આગળથી પસાર થતાં હતાં. સ્ત્રીઓ ત્યાં અટકીને પોતાનું રૂપ જોતી અને વાળ સરખા કરતી. પુરુષો ટાઈની ગાંઠ સરખી કરતા અને પોતાના વ્યક્તિત્વનું પ્રમાણ મેળવતા. એક દિવસની ગણતરી પ્રમાણે દર્પણ સામે ૪૧૨ સ્ત્રીઓ અને ૭૭૯ પુરુષો અટક્યાં હતાં. સૌંદર્ય તેમજ વ્યક્તિત્વ પ્રત્યે
ક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org