SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવેશ કરવાનો રહેશે. તેનાં પાંચ અંગ છેફેઈથ. આસ્થા હોય આશા કોન્ફીડન્સ - આત્મવિશ્વાસ વિલપાવર ઈચ્છાશક્તિ ઓટોસજેશન - અનુપ્રેક્ષા અભ્યાસ સૌથી પ્રથમ માનવીના મનમાં એવી આસ્થા પ્રગટવી જોઈએ કે સંસ્કારોમાં પરિવર્તન આવી શકે છે. બીજી તરફ આશાનો દીવો પ્રજ્વલિત હોવો જોઈએ કે પરિવર્તન થશે જ. ત્રીજી વાત એનો આત્મવિશ્વાસ એટલો પ્રગાઢ હોવો જોઈએ કે તે પરિવર્તન કરીને જ રહેશે. ચોથો મુદ્દો વિશ્વાસને અનુરૂપ ઈચ્છાશક્તિ અથવા સંકલ્પશક્તિની પુષ્ટિ ઉપર જઈને અટકે છે. પાંચમું બિંદુ છે અભ્યાસ. જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી નિરંતર અભ્યાસ કરવો જોઈએ. અનુપ્રેક્ષાના પ્રયોગ વડે ભાવોને બદલવા જોઈએ. ભાવપરિવર્તન જ વ્યવહારમાં પરિવર્તનનો પાયો છે. આ પાયા ઉપર ઊભી રહેનાર વ્યક્તિ જ પરિવર્તનના ચમત્કારને નિહાળી શકે છે. માનવીનું જીવન બહુરંગી છે. જિંદગીના બદલાતા રંગોથી પરિચિત થવા માટે ભાવજગતથી પરિચિત થવું પડશે. જીવનના રંગ પ્રશસ્ત બને, આકર્ષક બને, સર્જનાત્મક બને અને પોતાની ઉજ્વળતા દ્વારા અંધારાને દૂર કરનાર બને. એવી અભીપ્સા પ્રત્યેક વ્યક્તિમાં હોય છે. પરંતુ અભીપ્સા કોઈ જાદુઈ લાકડી નથી, જેને ફેરવીને ચપટી વગાડતાં જ બધું પ્રાપ્ત કરી શકાય. વાસ્તવિકતાની ધરતી કાંટાળી હોઈ શકે છે, પરંતુ ભાવોનાં ગુલાબ ખીલાવવાની વિરતા પણ તેમાં જ છે. કાશ ! માનવી પોતાના જીવનના યથાર્થને સમજે અને નિષેધાત્મક ભાવોની પક્કડથી પોતાને મુક્ત કરી શકે. ભાવોના દર્પણમાં પોતાનું પ્રતિબિંબ ૧૦૭ eleme Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005312
Book TitleNavu Darshan Navo Samaj
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy