________________
કરીને પોતાની દુર્બળતાઓને જોઈ લે છે. કબીરે આ જ રહસ્યનું ઉદ્ઘાટન કરતાં કહ્યું છે કે
બૂરા જો દેખન મેં ચલા, બૂરા ન મિલિયા કોય । જો દિલ ખોજું આપના મુઝસે બૂરા ન કોય
માનવી બીજું કશુંય જુએ કે નહીં પરંતુ એટલું તો અવશ્ય વિચારે જ કે આનંદમય જીવન કેવી રીતે જીવી શકાય છે. આનંદનો સ્રોત બહાર ક્યાંય નથી. પોતાની જ ભીતરમાં જે સ્રોત છે તેને શોધવાની જરૂર છે. આ શોધમાં જાતે જ ખપી જવાનું હોય છે. જિન ખોજા તિન પાઈયા'નો સિદ્ધાંત અનુભવની વાણી છે. ભગવાન મહાવીરે કહ્યું, પત્તેયં સાયં, પત્તેયં વેયણા.' સુખ-દુઃખ પોત-પોતાનાં હોય છે. કોઈ-કોઈને ન તો સુખી બનાવી શકે છે અને ન તો દુઃખી બનાવી શકે છે. બીજા લોકો તો માત્ર ટેકો (લાકડાની ઘોડી) બની શકે છે. તેમનો સહારો એને જ મળશે કે જે તેનો સ્વીકાર કરશે. અન્યથા લાકડાની ઘોડી તો જડ હોય છે. તે કોઈને પરાણે ચાલવાની પ્રેરણા આપતી નથી. બીજાઓ દ્વારા સુખ-દુઃખનાં નિમિત્તો ઉપસ્થિત કરી શકાય છે, પરંતુ સંવેદન તો ત્યારે જ થશે કે જ્યારે વ્યક્તિ તે નિમિત્તોનો સ્વીકાર કરશે. વર્કશોપ ભાવોની દુનિયામાં
માનવી સારું કે ખરાબ જે કાંઈ કરે છે તે તેના અંતર્ભાવોનું પરિણામ છે. જેવા ભાવ તેવી અભિવ્યક્તિ એ તથ્ય છે. તેના આધારે પ્રશ્ન ઉદ્ભવે છે કે માનવી પોતે જ પોતાના ભાગ્યનો વિધાતા છે તો પછી તે અવાંચ્છનીય પ્રવૃત્તિ શા માટે કરે છે ? તેની પ્રત્યેક પ્રવૃત્તિનું પરિણામ તેણે જ ભોગવવું પડે છે. તો પછી તે ખોટી પ્રવૃત્તિઓના પ્રેરકભાવોને કેમ છોડતો નથી ? ખોટા સંસ્કારોને બદલવામાં ન આવે તો જીવનનું સુખ છિનવાઈ જાય છે. આ જ્ઞાન હોવા છતાં તે પરિવર્તનની યાત્રા કેમ શરૂ કરતો નથી ? બદલવાથી શો ફાયદો ? અને ન બદલવાથી શું નુકસાન છે ? લાભ-નુકસાનના ગણિતને સમજ્યા છતાં વ્યક્તિ કેમ બદલાતી નથી ?
પરિવર્તનની પ્રક્રિયા જટિલ હોઈ શકે છે, પરંતુ તે અશક્ય તો નથી જ. જે વ્યક્તિ બદલવા ઇચ્છે છે, તેને માટે પંચસૂત્રી એક કાર્યક્રમ નિર્ધારીત છે. તેની ક્રિયાન્વિતી માટે એક વર્કશોપ આવશ્યક છે. તે વર્કશોપ કોઈ સભાગૃહમાં નહીં હોય. તેને માટે ભાવોની દુનિયામાં
નવું દર્શન નવો સમાજ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org