________________
નિષેધાત્મક ભાવોનું પરિણામ
આ કેટલાક એવા પ્રશ્નો છે કે જે વ્યક્તિને પોતાની સ્થિતિ પ્રત્યે સાવધાન કરે છે. તે એ વાતનો અનુભવ કરે કે સમાજમાં એ જ વ્યક્તિ અપેક્ષિત અથવા તિરસ્કૃત બને છે, જે નિષેધાત્મક ભાવોમાં જીવે છે. જેનું આભામંડળ મલિન હોય છે, અને જે કંઈક જાણવા-બનવા તથા કરવાની સ્થિતિમાં નથી હોતો.
ગંગા નદીના કિનારે બલકોષ્ઠ નામનો એક ચંડાળ રહેતો હતો. તેની પત્નીનું નામ ગૌરી હતું. તેને એક પુત્ર હતો. તેનું નામ બલ હતું. થોડોક મોટો થયા પછી તે હરિકેશ નામે પ્રસિદ્ધ થયો. એક દિવસ તે પોતાના મિત્રો સાથે રમત રમતો હતો. રમત રમતમાં તે લડવા લાગ્યો. તેને રમતની ટોળીમાંથી બહિષ્કૃત કરી દેવામાં આવ્યો.
હરિકેશ રડવા જેવો થઈને ઊભો ઊભો રમત જોવા લાગ્યો. અચાનક ત્યાંથી એક સાપ નીકળ્યો. લોકોએ તે સાપને પથ્થરો વડે મારી નાખ્યો. થોડી વાર પછી ત્યાં એક અળસિયું નીકળ્યું. તેને કોઈએ કાંઈ જ કર્યું નહીં. હરિકેશ બંને દશ્ય નિહાળ્યાં. તેના મન ઉપર ઊંડી પ્રતિક્રિયા શરૂ થઈ. તેણે વિચાર્યું કે દુઃખ અને તિરસ્કારનું કારણ પ્રાણીનો પોતાનો વ્યવહાર જ છે. હું સાપની જેમ ઝેરીલો છું તેથી મારા મિત્રોએ મારું અપમાન કર્યું. જો હું અળસિયાની જેમ નિર્વિષ હોત તો મારા મિત્રોથી છૂટો શા માટે પડ્યો હોત ? ચિંતન આગળ ચાલ્યું. તેને જાતિ-સ્મૃતિ જ્ઞાન થયું. તેણે પોતાના નિષેધાત્મક ભાવોને સમજ્યા, છોડ્યા અને સાધુ બની ગયો. જો મારું જ દિલ ફંફોસું
મનોવિજ્ઞાનના મત મુજબ આત્મખ્યાપન માનવીની મૌલિક મનોવૃત્તિ છે. પ્રત્યેક વ્યક્તિની એવી આકાંક્ષા હોય છે કે તેનું વૈશિસ્ય પ્રગટ થાય. બીજા લોકો તેનું મૂલ્યાંકન કરે, પરંતુ અન્ય લોકો પ્રત્યે તેનો દષ્ટિકોણ સકારાત્મક હોતો નથી. તે તેમની વિશેષતાઓમાં પણ ખામીઓ શોધે છે. પોતાની મોટામાં મોટી ભૂલ પણ તેને નાની લાગે છે જ્યારે બીજાઓના સામાન્ય દોષ પણ તેને પહાડ જેટલા મોટા લાગે છે. આ દષ્ટિકોણનું જ અંતર છે. જે વ્યક્તિને પોતાના દોષોમાં ખૂબીઓનો ભ્રમ પેદા કરે છે. અંતર્મુખ વ્યક્તિની દષ્ટિ એટલી પારદર્શી હોય છે કે તે બહારનાં તમામ આવરણોને દૂર સારવાર કરાવવા ભાવોના દર્પણમાં પોતાનું પ્રતિબિંબ થી ૧૦૫ eટાણા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org